SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલે ભાગ ૩૪૫ વ્યવહારમાં ને ધર્મસ્થાનમાં ય અસત્ય : તમે પૈસાદાર હો, ત્યારે તમારી ખરી સ્થિતિને છૂપાવવાનું તમને કેટલું બધું મન થાય છે ? પૈસાદાર તરીકેની આબરૂ હોય અને પૈસા રહ્યા ન હોય, તેવા વખતે લોકના પૈસાથી પિસાદાર તરીકેની આબરૂને સાચવી રાખવાને માટે, કેટકેટલાં અસત્યોને કેળવીને બેલો છે? અને, જ્યારે પાસે પૈસા હોય, ત્યારે ય કોઈને પૈસા આપવા ન પડે–એ માટે, કેટકેટલાં અસત્યને કેળવીને બોલો છો? તમારી સ્થિતિ, મોટે ભાગે, તમે તમારા અંગત મિત્રથી પણ છૂપાવવાને માથે ને? ઓછી સ્થિતિવાળાને તે ન કહે, પણ સરખે સરખાને પણ પિતાની સ્થિતિ સાચા રૂપમાં જણાવે નહિ, કેમ કે-જે એ જાણે, તે અવસરે માગી બેસે ને ? જ એની સાથે બેઠા હોય, સાથે ખાધું-પીધું હોય, સ્નેહ-સંબંધની ઘણું ઘણી વાતે કરી હોય, છતાં એને ય એની જરૂર વખતે આપવાની ઈચછા હોય નહિ! આવા માણસેનો વ્યવહાર, કે હોય છે? આ પેલાને શેઠ કહે અને પેલો આને શેઠ કહે! પૈસા બચી જાય, એ માટે કેળવી કેળવીને અસત્ય બલવાની કુટેવ, ધર્મસ્થાનોમાં ય તમારો પીછો છોડે નહિ, તે એ કેટલું બધું ખરાબ કહેવાય? મંદિરમાં કે ઉપાશ્રયમાં કોઈ ઉછામણી થતી હોય અને તેમાં વધતે વધતે ભાવના ટકી ન શકે એટલે અટકી જાવ, ત્યારે કોઈ પૂછે કે શેઠ તમે આગળ કેમ વધ્યા નહિ?” એ વખતે તમે શું કહો? એવા વખતે, પિતાની સ્થિતિ પહોંચતી હોવા છતાં પણ, ધીમે રહીને પોતાની સ્થિતિ પહેચતી નથી–એવું બતાવી દેવાની કુનેહ નહિ વાપરનારા કેટલા?
SR No.007253
Book TitleChar Gatina Karno Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy