SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ચાર ગતિનાં કારણે ચાલ્યા આવ્યા ? સ૦ અહીં કર્મ ખપે છે એટલું માવેલું ખરું. એટલે, કર્મને ખપાવવાને માટે આવ્યા ને? કર્મને યોગ નથી ગમતે, માટે આવ્યા ને ? ઓઘથી સમજ હોય, પણ અવસરે વિશેષ સમજ મેળવવાનું મન તે થાય ને? દુઃખ આપનારા કર્મો પર ગુસ્સો છે, સુખ આપનારા કર્મો પર ગુસે છે કે પાપ કરાવનારા કર્મો પર ગુસ્સો છે, એ નક્કી કરે. ધર્મ કરનારની બેટી રીતભાતથી, ધર્મ નહિ કરનારને ધર્મ નહિ કરવાને પ્રચાર કરવામાં પિષણ મળી જાય છે. એ શું પૂછે છે? તમારા ધર્મ કરનારનાં હૈયાં કેટલાં સુધર્યા છે? એવું કહીને, ધર્મ કરવાને વિરોધ કરનારાઓને તો અમે કહીએ છીએ કે–બીજું કાંઈ નહિ, તે ય તમે ચોવીસે કલાક પાપક્રિયાઓમાં રક્ત છે અને એણે બે કલાક પણ પાકિયા છેડી તો ખરી ને ? એ વાત એમને ગળે ઉતરી જાય છે અને એમ અમે એમની જબાન તો બંધ કરીએ છીએ, પણ અમને તો હૈયામાં ડંખ રહી જાય ને કે–આ ધર્મ કરનારાઓ ધર્મ કરવા દ્વારા જે પામવું જોઈએ, તેના તરફ નજર પણ કરતા નથી! એમનું વર્તન ધર્મની નિન્દાનું કારણ બને છે ! સંસારને અણગમે હોય અને મોક્ષ જ મેળવે છે-એમ હોય તે, જેમના હૈયામાં આવું હોય, તેમના હૈયામાં દુન્યવી સુખની જ લાલસા હોય, એ બને ? બે કલાક પણ પાપ વગરના, એ ક્યારે? ક્રિયા પુણ્યની ને હૈયામાં પાપ, એ ચાલે ? હૈયામાં પાપ રાખીને ધર્મક્રિયા કરે, એટલે પાપથી બચાય ખરું? આ વાતને ગંભીરપણે વિચારતાં શીખે. પાપની ક્રિયા કરવી પડે તો ય હૈયામાંથી ધર્મ–મેક્ષની ઈચ્છા નહિ ખસવી
SR No.007253
Book TitleChar Gatina Karno Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy