SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ ચાર ગતિનાં કારણે દેવદ્રવ્યનો ઉપયોગ શા માટે ન થાય ? એથી આજે પ્રચાર ચાલી રહ્યો છે કે-“ભગવાનની પૂજામાં દેવદ્રવ્યને ઉપયોગ કરવા માંડે.” કઈ કઈ ઠેકાણે તો એવાં રીતસરનાં લખાણે થવા લાગ્યાં છે કે મંદિરની આવકમાંથી પૂજાની વ્યવસ્થા કરવી! આવું વાંચીએ કે સાંભળીએ ત્યારે, એમ થઈ જાય છે કે–શું જેને ખૂટી પડ્યા? દેવદ્રવ્ય ઉપર સરકારની દાનતા બગડી છે-એમ કહેવાય છે, પણ આજે વાતે એવી ચાલી રહી છે કે-દેવદ્રવ્ય ઉપર જનેની દાનત બગડી છે-એમ લાગે. નહિ તે, ભક્તિ પિતાને કરવી છે અને તે માટે દેવદ્રવ્ય વાપરવું છે, એ બને જ શી રીતિએ? આપત્તિકાળમાં દેવદ્રવ્ય માંથી ભગવાનની પૂજા કરાવાય-એ વાત જુદી છે અને શ્રાવકને પૂજા કરવાની સગવડ દેવદ્રવ્યમાંથી દેવાય-એ વાત જુદી છે. જેને શું એવા ગરીબડા થઈ ગયા છે કે–પતાના દ્રવ્યથી ભગવાનની દ્રવ્યપૂજા કરી શકે તેમ નથી? અને એ માટે, દેવદ્રવ્યમાંથી તેમની પાસે ભગવાનની પૂજા કરાવવી છે ? જેના હૈયામાં તે, એ જ વાત હોવી જોઈએ કે અમારે મારા દ્રવ્યથી જ ભગવાનની દ્રવ્યપૂજા કરવી છે !” દેવદ્રવ્યનીવાત તે દૂર રહી, પણ અન્ય શ્રાવકના દ્રવ્યથી પણ પૂજા કરવાનું કહેવામાં આવે, તે જૈને કહેતા કે “એના દ્રવ્યથી અમે પૂજા કરીએ, તેમાં અમને શું લાભ? અમારે તે, અમારી સામગ્રીથી ભકિત કરવી છે!” શ્રાવકે દ્રવ્યપૂજા શા માટે કરવાની છે? આરંભ અને પરિગ્રહમાં ગ્રસ્ત, જે છતી શકિતએ દ્રવ્યપૂજા કર્યા વિના જ ભાવપૂજા કરે, તે તે પૂજા વાંઝણું ગણાય. શ્રાવક પરિગ્રહના વિષને ઉતારવાને માટે, ભગવાનની દ્રવ્યપૂજા કરે. પરિગ્રહનું ઝેર ઘણું ને? એ ઝેરને ઉતારવાને માટે
SR No.007253
Book TitleChar Gatina Karno Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy