SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલે ભાગ ૧૬૯ ખોળે ઉછરતાં કરાં પણ, કેવાં સંસ્કારી બને ? સહ આજે તે આવું ભાગ્યે જ બને. દશા ઘણું બગડી ગઈ છે, એ ચક્કસ વાત છે, પણ હવે ય સુધારો કરે છે કે નહિ ? આ સુધારે ક્યારે થાય ? એ વિચાર આવે કે-જન્મને કદી પણ નહિ વખાણનારા અને અજન્મા બનવાને જ સદાને માટે ઉપદેશ દેનારા જ્ઞાનિઓએ, આ મનુષ્યજન્મને કેમ વખાણું નાખે? તે કે-પાપરહિતપણે જીવવું હોય, તે આ એક જ મનુષ્યજન્મમાં પાપરહિતપણે જીવી શકાય તેમ છે, માટે જ આ જ્ઞાનિઓએ, આ મનુષ્યજન્મનાં વખાણ કર્યા છે!” આવા મનુષ્યજન્મને પામીને, જીવવાને માટે ય પાપ ન કરાય તે સારું અને પાપરહિતપણે જીવવાને જ પ્રયત્ન કરાય, એમ તે માને છે ને? પછી પાપ કરવું પડે અને કરે, પણ પાપ કરતાં છાતી ઘવાય ને ? “જે જન્મમાં પાપરહિતપણે જીવી શકાય તેમ છે અને એ માટે જ જે જન્મની મહત્તા છે, તેવા જન્મમાં પણ મારે પાપ કરીને જીવવું પડે છે!—એ વિચારથી, જીવવાને માટે પાપ કરતાં અને પાપ કર્યા પછી પણ છાતી ઘવાય ને ? સૌથી પહેલાં તે સર્વત્યાગને સર્વોત્તમ માર્ગ જ બતાવાય? પિષાતી વગેરેએ આ વાતને બરાબર જવાબ દેવે પડશે. સામાન્ય રીતિએ, બીજાઓ કરતાં એમની લાયકાત વધારે ગણાય. બીજાઓ કરતાં પોષાતી કાંઈક સારું સમજ્યા છે અથવા તે જે સમજ્યા છે તેને આચરણમાં ઉતારવાને તેમને પ્રયત્ન છે, એટલે એમની લાયકાત વધારે ગણાય. ૧ સ0 લાયકાત વધારે ?
SR No.007253
Book TitleChar Gatina Karno Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy