SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ચાર ગતિનાં કારણે પણ ભય પેસી ગયા છે. આવકનું વહેણ ચાલુ હોય તે વધારે ઉદારતાથી કામ થાય, પરંતુ આજે એ વિચાર કરવા જે છે કે-ભૂખને ભય, એ બધા કરતાં મોટે ભય છે. તમને તે માત્ર સંપત્તિ ઘટવાને ભય છે, જ્યારે ભૂખ્યાને તે ભૂખે મરી જવાનો ભય છે. એ ભય પાસે, તમારા ભયની કાંઈ કિંમત નથી. આથી નકકી કરે કે–તમારાથી શક્ય હોય ત્યાં સુધી તમે જે ક્ષેત્રમાં છે, તે ક્ષેત્રમાં તે, કઈ જ ભૂખ્યો નહિ રહેવો જોઈએ. તેમાં ય, તમારે મન, તમારાં સાધર્મિક ભાઈ-બને તે પહેલાં જ હેય ને? એટલે, કાંઈક યોજનાપૂર્વક જે આ વિચાર થઈ જાય, તે આપણે ધર્મ એવા સુન્દર પ્રકારે થઈ જાય કે-આ ધર્મની આરાધના જીવનભર યાદ રહી જાય. કદાચ આ કામ કરવામાં મુડીને ઘસારે લાગશે, પણ તેમાં ચિન્તા કરવા જેવું શું છે? “ઘસારે લાગીને પણ ભાઈને માટે લાગતો હોય, તે તે ભેગવી લેવાની સાધર્મિક તરીકે મારી ફરજ છે”-એમ તમારે સમજવું જોઈએ. ઉપદેશથી આગળ વધવું, એ મને વ્યાજબી લાગતું નથી. સેનાની જાળ પાણીમાં નાખવાની ભૂલ કેણ કરે ? પણ તમે આટલી વાતમાં ઘણું સમજી જાવ, એવા છે ને? દરેકે દરેક જૈનના હૈયામાં, શ્રી જિનને માનનાર જૈન, કમથી કમ રટલે દુઃખી તો નહિ જ હોવું જોઈએ, એવું અભિમાન અવશ્ય હોવું જોઈએ “આપણે સુખી હોઈએ અને આપણને કેઈએમ કહે કે-જેનેને ભૂખે મરવાને વખત આવ્યા છે; ત્યારે આપણું હૈયું ચીરાઈ જતું હોય એવું આપણે જૈન હોઈએ તે આપણને લાગ્યા વિના રહે નહિ.”—આવી મનેદશા જેમાં હોય, તે તે સ્વાભાવિક ગણાય.
SR No.007253
Book TitleChar Gatina Karno Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy