SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ ચાર ગતિનાં કારણે જેનો પાસેથી પૈસા કઢાવવાની રીત અજમાવવી, એ વ્યાજબી નથી. એથી તે, જૈનોને દુઃખ થાય. બાકી, જૈન, સંકટગ્રસ્ત જીવોના રક્ષણમાં પણ માને જ છે અને આ કાર્ય અંગેનું તમે ધારે છે તેવું મહત્ત્વ જે તેમના ખ્યાલમાં આવી જાય, તે એ છૂટે હાથે દાન દીધા વિના રહે જ નહિ.” - આ પછી તે, એ અધિકારિએ ઉભા થઈને, પિતે જે કાંઈ બોલ્યા હતા તે બદલ, શ્રીસંઘની માફી માગી. પછી મેં પૂછયું કે-“તમારે આ બધાની એક મહિનાની કમાણી જોઈતી હોય, તે તેમ કહો.” એટલે એ અધિકારી કહે કે-“મારા બધા અધિકારિઓ એક એક મહિનાનો પગાર આમાં આપી દે, એ હું કહી શકું તેમ નથી.” પછી મેં પૂછયું કે તે તમને આમની પાસેથી કેટલી રકમ જોઈએ છે, એ કહો !” એ અધિકારિએ જે રકમ કહી, તે રકમ ટીપની થયેલી રકમ કરતાં દેઢી લગભગ હતી; આથી, સહેજ સૂચન કરતાં, સૌએ ટપમાં જે રકમ મંડાવી હતી, તે બેવડી કરી આપી ! - કહેવાનું તાત્પર્ય એ છે કે-ધાર્મિક ઉત્સવે અને શ્રી જિનમન્દિરાદિમાં ખર્ચ કરનારાઓ, સાધર્મિક-વાત્સલ્ય અને જીવદયા આદિનાં કાર્યોમાં જેવી ઉદારતાથી ખર્ચ કરી શકે છે, તેવી ઉદારતાથી બીજાઓ તે કાર્યોમાં ખર્ચ કરી શકતા જ નથી. આથી, ધાર્મિક ઉત્સવ તથા શ્રી જિનમન્દિરાદિમાં ખર્ચ કરનારાઓની ટીકા કરનારાઓ તે અજ્ઞાન જ છે. કોઈ વખતે કઈ ક્ષેત્ર સીદાતું હોય અને જૈનોનું લક્ષ્ય એ તરફ દેરવું હોય, તે બીજા ક્ષેત્રો તરફ અપાતા લક્ષ્યની ટીકા કર્યા વિના જ, સીદાતા ક્ષેત્ર તરફ જૈનોનું લક્ષ્ય દરવું જોઈએ.
SR No.007253
Book TitleChar Gatina Karno Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy