SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલે ભાગ ૧૪૫ ગમતું નથી અને તમે નાના છે તે તમારા તરફ કેઇ નિર્દયપણું બતાવે, તે તે તમને ગમતું નથી, એ તે ખરું ને? ત્યારે, જેનામાં મોટાઓ પ્રત્યે ઔચિત્ય અને નાનાઓ પ્રત્યે દયા હેય, તે કેવો લાગે? સારે; છતાં આપણે સારા બનીએ એવી તકેદારી ખરી? હજુ મોટા પ્રત્યે ઔચિત્ય જાળવનાર મળશે, કેમ કે-સમજે છે કે વખતે ખપ આવશે, જે કેવસ્તુતઃ એ ઔચિત્ય નથી, પણ સ્વાર્થને જ એક અંશ છે; છતાં, દેખીતી રીતિએ મોટાઓ પ્રત્યે ઔચિત્ય જાળવનારા હજુ મળશે, પણ નાનાઓ પ્રત્યે દયા દાખવનારા દુર્લભ બનતા જાય છે. પિતાનાથી નીચી સ્થિતિવાળાઓ પ્રત્યે મીઠી નજર હોય, એવા સુખી માણસે દુર્લભ બનતા જાય છે અને એથી પણ બેકારી, ભૂખમરે, જીવવાની હાડમારી વગેરે વધતું જાય છે. સુખી માણસે જો નીચેના વર્ગ તરફ દયાવૃત્તિવાળા હોય, તે આજના જેવી વિષમ દશા, કેઈ પણ સમાજની ન જ હોય. દુઃખી માણસોનાં અનાચરણની સુખી માણસો ટીકા કર્યા કરે, એ વ્યાજબી નથી. દુઃખી માણસમાં શું હોય, તે કહેવાય નહિ. એ અનીતિ, છેતરપીંડી આદિ ન કરે તે સારું, પણ દુઃખી માણસ દુઃખનો માર્યો અનીતિ આદિને આચરે, ત્યારે સુખી માણસને તે એમ થવું જોઈએ કે-આની અની તિમાં મારે પણ હિસ્સો છે, કારણ કે-મેં એની ખબર લીધી નહિ.” તેમાં ય, આ કાળમાં તો, સુખી માણસોએ વધારે ઉદાર બનવાની જરૂર છે. સ૦ વખત એ આવી લાગે છે કે સુખી કહેવાતા માણ સેના હૈયામાં પણ શાન્તિ નથી, એટલે એ કરે શું ? આ એમ કહે છે કે–આજે જેઓ સુખે ખાતા–પીતા ૧૦
SR No.007253
Book TitleChar Gatina Karno Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy