SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ ચાર ગતિનાં કારણે સંસારને ભાગવવા છતાં પણ બ્રહ્મચારીનું અને ખાવા છતાં પણ ઉપવાસીનું એક ઉદાહરણ : સમ્યગ્દર્શન ગુણના મહિમા કાઇ ગજબના છે. જે આત્મામાં એ ગુણ પ્રગટ્યો હોય, તે આત્માએમાં જ સર્વોત્તમ મધુર રસ સમાન સુન્દર કેટના ધર્મપરિણામ પ્રગટી શકે છે. જે સભ્યષ્ટિ આત્માઓમાં એવા સુન્દર ધર્મપરિણામ પ્રગટે છે, તેઓ જો સંસારમાં રહે છે, સંસારને ભોગવે છે, તે તે પણ સંસારને કાપવાને માટે જ ! શરત એટલી જ કે એ ધર્મપરિણામ પ્રમાદ રૂપ મલથી સર્વથા રહિત હાવા જોઈએ. છેલ્લા કેવલજ્ઞાની શ્રી જમ્મૂસ્વામિજી, શ્રી વજ્રસ્વામિજી, શ્રી પૃથ્વીચન્દ્ર અને શ્રી ગુણુસાગર તથા શ્રી પુંડરિક રાજા વગેરેના ધર્મપરિણામેા એવા સાકર જેવા હતા. આ સંબંધમાં શાસ્ત્રોમાં એક સુર નામના રાજાની ક્થા આવે છે. સુર રાજાના સામ નામના નાના ભાઈએ દીક્ષા લીધી હતી; અને રાજ્યના કેાઈ સંચાલક નહિ હાવાથી, સુર રાજા નિરૂપાયે રાજગાદી ઉપર રહ્યા હતા. એક વાર, પેાતાના મુનિ ભાઇ વિહાર કરતા કરતા નજદીકના વનમાં પધાર્યા છે, એવા સમાચાર સુર રાજાને મળ્યા; એટલે, તે પેાતાના મુનિ ભાઇને વન્દન કરવાને માટે ગયા. મુનિ એવા પેાતાના નાના ભાઈને વન્દન કરીને, સુર રાજા પાછા ફર્યાં, એટલે એ વાતની રાણીને જાણ થઇ. રાણીને પણ પોતાના દીયર મુનિવરને વન્દન કરવાની ઇચ્છા થઈ અને તે એટલી બધી પ્રમલ કે-રાણીએ તરત જ અભિગ્રહ કર્યો કે આવતી કાલે સવારે દેવર મુનિને વન્દન
SR No.007253
Book TitleChar Gatina Karno Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy