SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ સંજીવની ૩૬૧ આવી પડે છે; શાસ્ત્રીય અભિનિવેશ થાય છે. જેને લીધે અન્ય દોષો ઉત્પન્ન થાય છે; નિઃશંકતા ઉત્પન્ન હોતી નથી. વિકલ્પો કદી શાંત થતા નથી. જ્ઞાનની શુષ્કતા ઉત્પન્ન થઈ, ઉન્મતતા આવે છે. ઉઘાડ જ્ઞાનમાં સંતુષ્ટ થવાનું બને છે. (૧૩૮૪) પ્રશ્ન – મુમુક્ષુની ભૂમિકામાં યોગ્ય યથાર્થ જ્ઞાન, ક્રિયા અને ભક્તિનો પ્રકાર કેવો હોય ? ઉત્તર :– મુમુક્ષુને યથાર્થ સમજણરૂપ જ્ઞાન જ સાધન છે. પ્રારંભમાં આત્મકલ્યાણને લક્ષે તત્ત્વવિચાર હોય. સુવિચારણામાં કેન્દ્રસ્થાને પોતાનું પરમ હિત જ રહે, તેથી સમજણને અમલીકરણરૂપ પ્રયોગમાં લાગુ કરવાનો પ્રયાસ ચાલે તે ક્રિયા - યથાર્થ ક્રિયા છે, જેનાથી જ્ઞાનમાં વિશેષ નિર્મળતા થાય છે, દર્શનમોહનો અનુભાગ પણ ઘટે છે અને સત્પુરુષનું - સજીવનમૂર્તિનું સ્વરૂપ ઓળખાય છે ત્યારે તેમના પ્રત્યે – મોક્ષદાતા પ્રત્યે પરમ ભક્તિ પ્રેમરૂપ આવે છે, તે યથાર્થ ભક્તિ છે. એક ન્યાયે ત્રણેય જ્ઞાનની જ પર્યાય છે. આત્મહિતનું મૂલ્યાંકન, સમજણનું જ અમલીકરણ, અને પુરુષની ઓળખાણથી ઉત્પન્ન બહુમાન – પ્રેમભક્તિ, અચલ પ્રતીતિ. (૧૩૮૫) આ પ્રશ્ન – તત્ત્વજ્ઞાનનો અભ્યાસ વગેરે વર્ષો સુધી અમોએ કરવા છતાં આત્મહિતમાં આગળ કેમ વધી શકાયું નહિ ? સમાધાન :- કાં તો શુદ્ધ અંતઃકરણપૂર્વક આત્માર્થાતા ન ઉત્પન્ન થઈ, અને જેણે તત્ત્વજ્ઞાન આપ્યું તેના પ્રત્યે ભક્તિરૂપ મહાભ્ય આવ્યું નહિ. આ બે માંથી એક પણ કારણની ક્ષતિ રહે ત્યાં સુધી મુમુક્ષુ આગળ વધી શકતો નથી. (૧૩૮૬) Wપ્રશ્ન :– અનેક ગ્રંથ વાંચ્યા છતાં એમ લાગ્યું છે કે જે જોઈએ છીએ, તે હજી તેમાંથી મળતું નથી ? આમ કેમ ? ઉત્તર – શાસ્ત્ર વચનો પરિભાષા રૂપે હોવાથી, માર્ગના મર્મની અભિવ્યક્તિ પર્યાપ્ત માત્રામાં તેમાં થતી નથી. તેથી તેમાંથી મર્મ પકડાવો સુલભ નથી; પ્રયોગ – જ્ઞાની / ઉત્કૃષ્ટ મુમુક્ષુના પ્રત્યક્ષ પરિણમનમાં તે (પરમાર્થ) વિશિષ્ટ પ્રકારે વ્યક્ત થતો હોવાથી, પ્રત્યક્ષ યોગે તે સમજાય છે; સમજાય છે, ત્યારે તેવો બોધ આત્મામાં અસર કરે છે, ત્યારે તેનું પરિણમન અન્યને પરિણમનનું કારણ બને છે. તેથી જ પ્રત્યક્ષ યોગરૂપ સત્સંગનું અદ્વિતય મહત્વ સર્વ જ્ઞાનીઓએ પ્રકાશ્ય છે. જે અનુભવનીય છે. (૧૩૮૭) તત્ત્વજ્ઞાનની સમજણ જેને થઈ હોય તેણે તેને અનુભવમાં મૂકવાનો પ્રયાસ અવશ્ય કરવો
SR No.007191
Book TitleAnubhav Sanjivani
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year1999
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy