SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ સંજીવની ૨૪૭ આગમ વચન છે. તેમાં પ્રયોજનવશ મુખ્ય ગૌણતા થવી ઘટે છે. અવિરોઘપણે તેમાં આત્મહિત સરળતા થી જ સધાય છે. વિરોધ જાણનારને સરળતાનો અભાવ છે. * આગમ - અધ્યાત્મમાં વિરોધ, અસરળ પરિણામોથી લાગે છે. આ પારમાર્થિક અસરળતા છે, જે છોડવા યોગ્ય છે. * સરળતાપૂર્વક સત્સંગ હોય, તો જ્ઞાનીને ઓળખી શકાય, તેવી યોગ્યતા પ્રાપ્ત થાય. સત્ય ગુણ | તત્ત્વનું ગ્રહણ થવું સુલભ થાય. * સરળતા સ્વ-પર કલ્યાણક છે, અસરળતા સ્વ-પર કલ્યાણમાં બાધક થાય છે. * એ ઉપયોગની સરળતા છે કે અંતરમાં, રાગને નહિ સ્પર્શતા, તિર્યક / તિરછી ગતિ નહિ કરતાં . સરળ થઈ, અંતર્મુખ થઈ પોતાને ગ્રહે છે. અસરળતા અંતર્મુખ થવામાં બાધક છે. * સરળતા વગરનું મુમુક્ષુપણું શૂન્ય છે. * પર્યાયબુદ્ધિ - અસરળતાનું મૂળ છે. * ત્રિકાળી ભગવાન આત્માની અધિકતા ચૂકી, એક સમયની પર્યાયને કે શુભાશુભ ઉદયને મહત્વ દેવું - તે પરમાર્થે અસરળતા છે. * સત્ય . શ્રવણ થયા પછી પણ, જિનદેવની આજ્ઞા અવગણે છે, ત્યાં સરળતા ક્યાં રહી? (૮૮૦) જાન્યુઆરી - ૧૯૯૨ Vજો પર્યાયમાં ષ કારક સ્વીકારવામાં ન આવે તો સ્વસંવેદનમાં વેદ્યવેદકભાવનો અભાવ થાય. પરંતુ સ્વસંવેદન તો વેદ્યવેદકભાવરૂપે પ્રત્યક્ષ છે. અને તેમાં વેદકરૂપ - કર્તારૂપ કારક જે પર્યાય છે . તે જ પર્યાય વેદ્યરૂપ - કર્મરૂપ કારકપણે છે. તેમાં વેદનાર જ્ઞાન પોતે જ વેચાય છે. તેથી પર્યાયના કારકોના અસ્વીકારની શ્રદ્ધામાં, સ્વસંવેદનનો અસ્વીકાર થાય છે, અને સ્વસંવેદનરૂપ સ્વાનુભવના અસ્વીકારમાં આત્માનો જ અસ્વીકાર છે, અથવા ઘાત થાય છે. સ્વસમ્મુખતા વેદવેદકભાવથી શરૂ થાય છે. (૮૮૧) . જ્ઞાની અને મુમુક્ષુ અંતર પરિણામની નિવૃત્તિ અર્થે બાહ્ય નિવૃત્તિને ચાહે છે. પરંતુ તે પૂર્વકર્મને આધીન છે, તોપણ પ્રવૃત્તિની પ્રતિકૂળતા પ્રતિ પુરુષાર્થવંત રહી જ્ઞાની / મુમુક્ષુ સ્વકાર્યને સાધતા રહે છે. કેટલાંક તીવ્ર પુરુષાર્થી ધર્માત્માઓ તો તેવા પ્રસંગમાં. નિવૃત્તિકાળમાં થાય તેથી પણ વિશેષ નિર્જરા કરે છે. તેથી તેમને તો, પારમાર્થિક દૃષ્ટિએ, પ્રતિકૂળતા એ જ વિશેષ અનુકૂળતા થઈ જાય છે. યથાર્થ જ કહ્યું છે કે જે છૂટવા માગે છે, તેને કોઈ બાંધનાર નથી. તેથી અનઉપયોગ
SR No.007191
Book TitleAnubhav Sanjivani
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year1999
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy