SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ અનુભવ સંજીવની સેવતા આવ્યા છે. પોતાના નિજ) પરમેશ્વરપદનું દૂર અવલોકન ન કરવું. પોતાને જ પ્રભુ થાપે આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે." – શ્રીમદ્ રાજચંદ્રજી. અનંતસુખની શાશ્વત વિદ્યમાનતાને અનુલક્ષીને સ્વરૂપ ભાવવું જેથી આત્મરસ ઊપજે. નિજ પરમપદને | પરમેશ્વર પદ વર્તમાનમાં જ પ્રત્યક્ષભાવે અવલોકવું શ્રદ્ધા વડે સ્થાપવું. તેનાથી શું અધિક છે કે તેને છોડી અન્યને અધિકાઈ આપે છે ? સ્વરૂપસુખની હયાતીનું વિદ્યમાનતાનું રહસ્ય પામી, સ્વરૂપની ભાવના થતાં, તેમાં અવિનાશીરસ | અમૃતરસનો ચૂઓ ચૂ છે ૨૬-૨-૮૯ (૨૧) “એકદેશ માત્ર અવલોકન એવું છે કે ઇન્દ્રાદિની સંપદા વિકારરૂપ ભાસે છે.” ચોથા ગુણસ્થાને આનંદનો નિર્વિકારી અનુભવ એવો છે કે તેની સરખામણીમાં દેવલોકન ઉચ્ચ સંપત્તિ પણ વિકાર-રાગનું નિમિત્ત ભાસે. સમ્યદ્રષ્ટિ અને એમ જ લાગે છે. ૨૭-૨-૮ડ (૨૨) “ચિદાનંદ ! તમારી ગુપ્ત શુદ્ધ શક્તિને વ્યક્તપણે ભાવ, જેથી તે વ્યક્ત થાય.” અવ્યક્ત શક્તિને શુદ્ધ વ્યક્ત (પ્રત્યક્ષ) પરિણમન સ્વભાવ વડે, નિજપણે દેખવાથી | ભાવાર્થ શક્તિનું શુદ્ધ પરિણમન થવા લાગે છે. પરિણામની શુદ્ધતાનું આ વિજ્ઞાન છે. (૨૩) “ગુપ્ત અને પ્રગટ એ અવસ્થાભેદ છે. બન્ને અવસ્થામાં સ્વરૂપ જેવું ને તેવું જ છે એવો શ્રદ્ધાભાવ સુખનું મૂળ છે.” સ્વભાવ / સ્વરૂપ દ્રવ્ય, ગુણ, પર્યાય-અવસ્થાભેદોથી નિરપેક્ષ છે. સ્વભાવની આ જ વાસ્તવિકતા છે. ઉક્ત અવસ્થાત્રયથી સ્વભાવ ભેદતો નથી. તેવો અભેદ છે–તેને જેમ છે તેમ શ્રદ્ધવો-જાણવો અનુભવવો, જેથી સુખ ઉપજે. ૧-૩-૮ (૨૪) “પરમાં પર ભાસે, નિજ તરફ જુએ તો પર ન ભાસે; નિજ જ છે. તેથી સુખકાર નિજ દૃષ્ટિ તજી દુઃખરૂપ પરમાં દષ્ટિ ન દો.” પરમાં તન્મયભાવે પરને જોતાં માત્ર પર ભાસે છે. જ્ઞાન ચુકાઈ જાય છે; જોનાર જ્ઞા નિજ તરફ તન્મયપણે જુએ . જ્ઞાન જ્ઞાનને જુએ તો (પર અત્યંત ગૌણ થઈને, ભાસતુ નથી પોતે જ્ઞાનમય જ છે તેમ ભાસે. (તેથી જ્ઞાનમાં સ્ત્રીને જોવાના ઉદ્દેશથી જ્ઞાનને જોવું–તો પો જ્ઞાનમય ભાસે.) નિજમાં નિજ અસ્તિત્ત્વને ગ્રહનાર દૃષ્ટિ સુખકારી છે. પરમાં નિજ અસ્તિત્વ સ્થાપના દષ્ટિ દુઃખકારી છે. તેમ જાણી યથાસ્થાનરૂપ દૃષ્ટિઉપયોગ કર્તવ્ય છે. (૨૫) “જ્ઞાનનો પ્રત્યક્ષ રસ ભાવમાં વેદવો તે અનુભવ છે.” પોતે પ્રત્યક્ષ જ્ઞાનમયપણે છે. તેવી જ્ઞાનરસ વેદવો તે જ સ્વાનુભવ છે. “સ્વપણે વેદાનું જ્ઞા
SR No.007191
Book TitleAnubhav Sanjivani
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year1999
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy