SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૯ પત્રાંક-૬ ૧૮ સ્વશવિત્ત મ્યુશન' આ શબ્દ લીધો છે. ૧૧૬માં ‘અમૃતચંદ્રાચાર્યે જે “સમયસારમાં વાત કરી છે. ૧૧૬ નંબરનો કળશ છે. બુદ્ધિપૂર્વકનો રાગ કે અબુદ્ધિપૂર્વકનો રાગ બને પ્રકારનો રાગ છોડવા માટે શું કરવું ? કે સ્વશકિતને સ્પર્શવું. સ્પર્શવું. સ્વભાવની સ્પર્શના કરવી. સ્વભાવમાં સ્થિર થવું, સ્વભાવમાં લીન થવું. આ એક જ ઉપાય છે. ત્રણે કાળે બીજો કોઈ ઉપાય નથી. છતાં એ પૂડ્યા કરે છે એનું શું કારણ છે? કે એનું કારણ એ છે કે એમને પોસાતું નથી, ત્યાં રહેવું પોસાતું નથી. પુરુષાર્થ એટલો ઊભો થઈ ગયો છે. એટલે એ પ્રશ્ન ઘૂંટ્યા કરે છે. મુમુક્ષુ -- પૂજ્ય ભાઈશ્રી – હા. એને અણગમો બહાર આવે છે. ઉદાસીનતા બહાર આવે છે. કોઈ રીતે પણ કોઈ પણ પ્રકારનો સંગ મને ન હો અને અસંગવૃત્તિ અને અસંગદશાએ હું રહી જાઉં. એનું જોર છે. એટલે એમ પૂછાવ્યું, કે શું કરવું? “તો ટળી શકવાના શા ઉપાય હોવા જોઈએ ?” એ બહારનું બહારનું પૂછે છે. અંદરનું નથી પૂછતા. અંદરમાં શું કરવું એ તો જાણે છે. બહારમાં શું કરવું એ કાંઈ તમારે... એ જે ઉપાય પૂછે છે એ બાહ્ય ફેરફારના પૂછે છે. બહારમાં એવો શું ફેરફાર કરવો જરૂરી લાગે છે? એક બાજુ કેટલાક મુમુક્ષુઓનો સંગ એ મુમુક્ષુઓની યોગ્યતા જોતા એમને એ કરુણા પ્રગટી છે. કારુણ્યવૃત્તિ છે. એને એક સ્થાન મળ્યું. એ હોય જ છે. મોક્ષમાર્ગી દરેક ધર્માત્માઓને બીજા જીવો આવો સુખનો માર્ગ પામે એવી કરુણાવૃત્તિ હોય જ છે. એને વાત્સલ્ય પ્રભાવનાનું અંગ કહે છે. એ સમ્યગ્દર્શનની સાથે જ હોય છે. એના વગરનું સમ્યગ્દર્શન હોઈ શકે નહિ. * એનું સ્થાન પાછું એ પ્રકારનું સંયોગ તો એવો સંયોગ થોડો થયો હતો. અમુક માત્રામાં થયો હતો, અમુક પ્રમાણમાં હતો. અને એ યોગ્ય જીવોને પોતે હિતનું નિમિત્ત થાય એવું પણ એમને સ્પષ્ટ જોવામાં આવતું હતું. એવું પોતાનું સામર્થ્ય હતું. એમાં સંયોગની આ પ્રતિકૂળતા હતી. બાકી એમણે નિર્જરા ઘણી કરી છે. આ સંયોગો વચ્ચે રહીને મોક્ષમાર્ગનું ઘણું કામ કર્યું છે. એકાવતારીપણું રહી ગયું એટલું કામ કર્યું છે. જે એમણે વિચાર્યું છે એ કોઈ કારુણ્યવૃત્તિથી બીજા માટે વિચાર્યું છે. બીજાને જવાબ મોડો લખાય છે. જે મુમુક્ષુઓને સત્સંગ જોઈએ એને એ ઉપલબ્ધ થતો નથી. કેમકે એ તો રોકાયેલા છે. બે પ્રકારે તકલીફ થઈ. એક તો સત્સંગ માટે નિવૃત્ત થતા નહોતા. બીજું પત્ર લખવામાં પણ નિવૃત્ત થતા નહોતા કે વૃત્તિ ચાલતી નહોતી. અને ખ્યાલ સ્પષ્ટ આવતો
SR No.007187
Book TitleRaj Hriday Part 12
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy