SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ ચજહૃદય ભાગ-૫ પત્રાંક-૩૨૧ મુંબઈ, માહ વદ ૨, રવિ, ૧૯૪૮ અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય, તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે; તો પણ કહીએ છીએ; માયા દુસ્તર છે; દુરંત છે; ક્ષણવાર પણ, સમય એક પણ, એને આત્માને વિષે સ્થાપન કરવા તે યોગ્ય નથી. એવી તીવ્ર દશા આ અત્યંત ઉદાસ પરિણામ ઉત્પન થાય છે; અને તેવા ઉદાસ પરિણામની જે પ્રવર્તના - ગૃહસ્થપણા કો સહિતની) - તે અબધપરિણામી કહેવા યોગ્ય છે. જે બોધસ્વરૂપે સ્થિત છે તે એમ કઠિનતાથી વર્તી શકે છે, કારણ કે તેની વિકટતા પરમ છે. - વિદેહીપણે જનકરાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉદાસ પરિણામને લીધે તે રહેતી; ઘણું કરીને તેમને તે સહજ સ્વરૂપમાં હતી; તથાપિ કોઈ માયાના કુરત પ્રસંગમાં સમુદ્રને વિષે જેમ નાવ યત્કિંચિત્ ડોલાયમાન થાય છે તેમ તે પરિણામનું ડોલાયમાન થવાપણું સંભવિત હોવાથી પ્રત્યેક માયાના પ્રસંગમાં કેવળ જેની ઉદાસ અવસ્થા છે એવા નિવ્રુ અષ્ટાવક્રની શરણતા સ્વીકારી હોવાથી માયાને સુખે તી શકાય એમ થતું હતું. કારણ કે મહાત્માના આલંબનની એવી જ બળવત્તરતા છે. ૩૨૧. અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય. તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે; તોપણ કહીએ છીએ; માયા દુસ્તર છે. દુરંત છે. ક્ષણવાર પણ, સમય એક પણ, એને આત્માને વિષે સ્થાપન કરવા યોગ્ય નથી.” શું કહે છે? પહેલાં તો જ્ઞાનદશાની વાત કરી છે કે અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય ચૈતન્ય સ્વરૂપે કરીને કેવું છે ? કે સ્વરૂપે તો એ સર્વથી ઉદાસ છે. ચૈતન્યને કોઈની
SR No.007180
Book TitleRaj Hriday Part 05
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2011
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy