SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન-૭૭ ] | ૧૨૩ દેવાલયમાં પરમ આરાધ્યદેવ વસતા નથી. ૫૨મ આરાધ્ય આત્મદેવ દેહરૂપી દેવાલયમાં વસે છે, નિર્મળ, રાગરહિત શ્રદ્ધા-જ્ઞાન અને શાંતિમાં આત્મા વસે છે, ધર્મમાં ધર્મી વસે છે. યોગીશ્વરોના શાંતિચિત્તમાં ચિદાનંદી ભગવાન વસે છે. અરે ! નિર્વિકલ્પતત્ત્વ આત્મદેવ શું વિકલ્પની જાળમાં વસે ! શું શુભાશુભ વડે આત્મા જણાય ! ન જણાય, કારણ કે શુભ-અશુભરાગ આત્માની જાતના નથી. વીતરાગ સમસ્વભાવી આત્મા તેની જાતની એટલે કે સમભાવની પર્યાય વડે જ જણાય. એ રીતે આ ગાથા પૂરી થઈ. ભગવાન આત્મા શક્તિરૂપે પરમાત્મા હતો, તેનું ધ્યાન કરીને વર્તમાન પર્યાયમાં સિદ્ધ ભગવાન ૫૨માત્મપદને પામી ગયા. વસ્તુ તો શુદ્ધ હતી જ પણ તેનું ધ્યાન કરતાં તેની દશામાં પરમાત્માદશા એ આત્માએ પ્રાપ્ત કરી. એવા પરમાત્માને ઓળખીને મારા લક્ષમાં લઈને એવા સિદ્ધપરમાત્માને હું નમસ્કાર કરું છું. શ્રી સમયસારમાં લીધું છે કે ભાઈ ! સિદ્ધપરમાત્માને નમસ્કાર કોણ કરી શકે ?–કે જે હૃદયમાં જ્ઞાનની દશામાં સિદ્ધપદને સ્થાપી શકે અને વિકાર આદિ મારામાં નથી, હું પૂર્ણાનંદ સિદ્ધ સમાન શક્તિએ છું—એમ જે શ્રદ્ધા-જ્ઞાનમાં સિદ્ધને સ્થાપે એ સિદ્ધને ખરો નમસ્કાર કરી શકે. ઊર્ધ્વ રહ્યાં છતાં સિદ્ધોને હેઠે ઉતારું છું કે પ્રભુ ! પધારો પધારો ! મારે આંગણે પધારો ! સિદ્ધને આદર દેનારના આંગણા કેટલા ઉજળા હોય ! રાજા આવે તોય આંગણું કેટલું સાફ કરે છે ! અનંત અનંત સિદ્ધોને હું વંદન કરું છું એટલે કે એ સિવાય રાગનો, અલ્પજ્ઞતાનો, નિમિત્તનો આદર દૃષ્ટિમાંથી હું છોડી દઉં છું. અમારા આંગણાં ઉજળા કર્યાં છે પ્રભુ ! આપ પધારોને ! પોતાની જ્ઞાનકળાની પ્રગટ દશામાં અનંત સિદ્ધોને સ્થાપે છે કે આવો પ્રભુ ! નિર્વિકલ્પ પર્યાયમાં પ્રગટ થાઓ, આવો.—એવી જેની દૃષ્ટિ થઈ છે તે અનંતા સિદ્ધોને પોતાની પર્યાયના આંગણે પધરાવે છે અને તેણે ભગવાનને નમસ્કાર કર્યાં કહેવામાં આવે છે. —પૂજ્ય ગુરુદેવશ્રી
SR No.007174
Book TitleParmatma Prakash Pravachan Part 01
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2002
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy