SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ જૂનાગઢ અને ગિરનાર ડબલ ગ્રેજ્યુએટ મણિરાય ત્રિકમરાય નામના નાગર ગૃહસ્થને નવાબ બહાદરખાને કચેરીમાં બોલાવી પોતાની ખુશી વ્યકત કરી ઈનામ અને પોશાક આયે. રાજ્યમાં કેળવણી માટે કોઈ ફી લેવામાં આવતી નહિ, એટલું જ નહિ પણ ઈ. સ. ૧૮૮૫માં રાજ્ય ઈગ્લાંડ જઈ, મેડીકલ, એન્જિનીયરીંગ, કાયદા આદિ વિષયોમાં વિશેષ શિક્ષણ લેવા માગતા વિદ્યાર્થીઓ માટે માસિક રૂા. ૨૫૦ની શિષ્યવૃતિઓ પણ સ્થાપેલી. આવી એક શિષ્યવૃતિ વજીર બહાઉદ્દીનભાઈએ પણ સ્થાપેલી “ રાજ્ય અન્ય વિદ્યાર્થીઓ લાભ લઈ શકે તે માટે રાજય બહારની શિક્ષણ સંસ્થાઓને દાન આપેલું. રાજકેટની આફ્રેડ હાઈસ્કૂલ તથા બાર્ટન ફીમેલ ટ્રેનીંગ કોલેજ, અમદાવાદની ગુજરાત કેલેજ, પૂનાની ફરગ્યુસન કેલેજ, મુંબઈની વિલસન કેલેજ, વઢવાણની ગરાસિયા કેલેજ તેમાં મુખ્ય છે. તે સાથે તે ઉપરાંત માણેકવાડા છાવણીમાં સ્કૂલ માટે એક મકાન બાંધી આપી તેનું નામ વજીર બહાઉદ્દીનભાઈના નામ ઉપરથી બહાઉદીન બિલ્ડીંગ આપવામાં આવેલું. અન્ય ફડે રાજ્ય તેની ઉદાર નીતિને અનુરૂપ રહી રાજકોટની સિવિલ હોસ્પિટલ, જ્યુબિલી બાગનાં મકાને, કોનેટ હેલ, રાજકેટ વોટર વર્કસ, ઝંડુ ભટજીનું દવાખાનું વગેરે મકાનોનાં બાંધકામમાં અનુદાન આપેલું. દીવાન ગોકુલજી ઝાલા સ્મારક ફંડ, વૈદ કરૂણાશંકર પંડ, કવિ દલપતરામ ડાહ્યાભાઈ સ્મારક ફંડ, પંડિત ભગવાનલાલ ઇંદ્રજી સ્મારક ફંડ, લેડી ડફરીન 1 માહિતી શ્રી. વિનોદરાય જોશીપુરા. 2 શ્રી. મણિરાય, જૂનાગઢના એક કાલે પ્રસિદ્ધ રાજપુરુષ હતા, તે ગુલાબરાય અંબાશંકર જોશીપુરાના પૌત્ર અને તેવાજ પ્રસિદ્ધ મજમુદાર વૃજલાલ રંગીલદાસ વૈશ્નવના દોહિત્ર • હતા તેઓ વડોદરા રાજ્યની સેવામાં રહેલા અને સુબા પદે પહોંચી ઈ. સ. ૧૯૨૩માં નિવૃત્ત થયા અને તે જ વર્ષમાં ગુજરી ગયા. 3 જુનાગઢના પ્રસિદ્ધ ડે. નરેમદાસ ઈદ્રજી વૈશ્નવ આ શિષ્યવૃતિ લઈ ઈગ્લાંડમાં અભ્યાસ કરી આવેલા. 4 આ શિષ્યવૃતિ મેળવી જુનાગઢના મુનશી ગુલામમહમદ બાવામિયાં બેરિસ્ટર-એટ-લે થયેલા.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy