SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ બાબી વંશ-પૂર્વાર્ધ ૧૮૧ તેના નાનાભાઈ દલપતરામના પુત્ર શંભુપ્રસાદને દત્તક લીધા હતા. સુંદરજી શિવજી પુન દીવાન ઈ. સ. ૧૮૨૦માં સુંદરથી રિાવજી પુનઃ જુનાગઢના દીવાનપદે આલે. તેણે તેના ભત્રીજા રતનશી છે તથા હંસરાજ જેડાને સૌરાષ્ટ્રની જમાબંદી ઉઘરાવાનું કામ સોંપાવ્યું અને પોતે જૂનાગઢનાં બધાં પરગણુઓને દશ વર્ષ માટે ઈજા રાખી જોરજુલમથી પુષ્કળ દ્રવ્ય સંચિત કર્યું. કેપ્ટન બેલેન્ટાઈન તેને જામીન થયો. એમ પણ જણાય છે કે અંદરખાને તે સુંદરજીને ભાગીદાર હતા. ગાયકવાડની જમા ગાયકવાડ સરકાર સૌરાષ્ટ્રના રાજાઓ પાસેથી જે જમા વસૂલ લેવા તથા જૂનાગઢના નવાબ જોરતલબી લેતા તે ઈસ્ટ ઈન્ડિયા કંપની વસૂલ કરી આપે તેવો પ્રબંધ થતાં જૂનાગઢ કંપની સાથે ઈ. સ. ૧૮૨૧ના ફેબ્રુઆરીની ૧૦મી તારીખે તે મતલબને એક કરાર કર્યો. તે સાથે અફીણની આયાત,વિજય અને વિતરણ વગેરેના નિયમોને પણ સ્વીકાર કર્યો. નવાબ બહાદરખાનનાં લગ્ન - ઈ. સ. ૧૮૫૦માં કચ્છના રાવ ભારમલજીની મુસ્લિમ રાણીથી થયેલી. પુત્રી કેસરબાઈનાં લગ્ન નવાબ બહાદરખાન સાથે થયાં. આ પ્રસંગે, બેલેન્ટાઈનના અનુગામી પલિટિકલ એજન્ટ મેજર બાનવેલે હાજરી આપી. કેસરબાઈનું ઈ. સ. ૧૮૨૪માં મૃત્યુ થયું. સુંદરજીનું મૃત્યુ . સ. ૧૮૨૩માં સુંદરજી શિવજી કચ્છમાં ગુજરી ગયો. નવાબે તેના ભત્રીજા રતનશી તથા હંસરાજને તરત જ હદપાર કર્યા. આ સાહસિક અને ચાણકય બુદ્ધિના વ્યાપારીએ અંગ્રેજોની છાવણીઓમાં માલ પૂરો પાડવાના કામથી પ્રારંભ કરી મેટાં મોટાં રાજ્યનાં દીવાનપદ ભોગવ્યાં અને ઘણાં રાજ્ય પાસેથી ગામ-ગિરાસ મેળવ્યાં અને પુષ્કળ ધન એકત્ર કર્યું. તેણે જૂનાગઢના તંત્રમાં લગભગ એક દાયકે અગત્યનું સ્થાન ભોગવ્યું. કર્નલ રોડના શબ્દોમાં “તેણે નગરની દીવાલથી પ્રશંસાને પાત્ર એવા સ્થાને (ગિરનાર) જવા માટે વનમાંથી સુંદર વૃક્ષાચ્છાદિત માર્ગ, કાઢી તેના ઉપર આંબા, જાંબુ અને બીજાં ઝાડ વાવી થાકેલા યાત્રિને ફળો અને વિશ્રામ
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy