SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ રસ ૨૪૮ મારી હૃદયગુફામાં પધારો. કવિએ આ પદમાં તો ગાગરમાં સાગર સમાવી દીધો છે. બિન્દુમાં સિન્હ ભરી દીધો છે. દરેક દર્શનનું મૂળ આ પદમાં જણાય છે. આ પદ આત્મતત્ત્વ પામવા પ્રબળ પ્રેરણારૂપ છે. આત્મા એવો કામણગારો છે કે બધાં ધર્મ તથા દર્શનોની દૃષ્ટિ તેના ઉપર છે. દરેક વ્યકિત આત્માને પામવા જુદા-જુદા માર્ગોનો આશ્રય લે, પણ દરેકનું લક્ષ્ય એક છે. સત્યમાર્ગના આશ્રય વિના જીવ કાંઈ મેળવી શકતો નથી પણ અનંત સંસાર પરિભ્રમણ વધે છે. આ પદમાં કવિશ્રી આનંદઘનજીએ વાસ્તવિક જગતનાં વહેવારુ દૃષ્ટાંતો આપીને ચેતનાની પોતાના સ્વામી, ચેતનને પ્રાપ્ત કરવાની લગની તત્ત્વદર્શનયુક્ત કવિત્વમય શૈલીએ રજૂ કરી છે. જેની અસર ભાવકના ચિત્ર ઉપર સચોટ થાય છે.
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy