SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ અનુભવ રસ “સમ્યગ્દર્શનાય નમઃ”, “સમ્યજ્ઞાનાય નમઃ”, “સમ્મચારિત્રાય નમઃ”, “સભ્ય તપસે નમઃ” પ્રમાણે ધ્યાન કરવું જોઈએ. પદસ્થ ધ્યાનમાં અન્ય મંત્રપદોનું ધ્યાન ષોડશાક્ષર વિધા 'अर्हत् सिद्धाचार्योपाध्याय – सर्वसाधुभ्यो नमः' છ અક્ષરનો મંત્ર – ‘રિહંત સિદ્ધ' ચાર અક્ષરનો મંત્ર – ‘રિહંત' બે અક્ષરનો મંત્ર – ‘સિદ્ધ' પંચાક્ષરી વિધા – ‘સિહસા' મંત્રવિદ્યાનો જાપ કરવાથી સાધક, સંસારનાં બંધનો – કર્મોનાં બંધનોને તોડે છે. ગ્રંથિઓને જલાવે છે. આત્મગુણોની સંપ્રાપ્તિ અને સાથે સાથે નિર્મળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ પદમાં કવિએ સર્વ જીવોને બર્ટિજગતથી મુક્ત બની અંતરજગતમાં ચાલ્યા જવા સંકેત કર્યો છે. અંદરમાં જવાથી અભોજ્ઞાત થશે. કવિએ આ પદમાં અભુત રહસ્ય ખોલ્યું છે. ધર્મના નામે ઝગડા કરવા તે ધર્મ નથી પરંતુ વસ્તુનું વાસ્તવિક સ્વરૂપે પ્રગટ કરવું તે ધર્મ છે. અહીં વસ્તુનો અર્થ આત્મા છે. કવિએ આત્મબોધરૂપ જ્ઞાનને મહત્ત્વ આપ્યું છે. તેથી જ પરમાત્મભાવનું લક્ષ્ય કરી, અલક્ષ્યસ્વરૂપને પામવું. જીવ જો અંતરાત્મભાવમાં જાગૃત થાયને સમ્યગ્દર્શનની સ્પર્શના થાય તો કેવળજ્ઞાનનું બીજારોપણ થઈ જાય છે. સમ્યગ્દર્શન તે સર્વજ્ઞપદનું બીજ છે. કવિએ આ પદમાં જીવનો વિકાસક્રમ બતાવ્યો છે, જેથી સ્વરૂપ પ્રાપ્તિ થઈ શકે છે. આ પદમાં કવિએ અંતરદષ્ટિ અને સ્વરૂપાનુસંધાન ઉપર ભાર મૂક્યો છે. કવિની પદાવલિ સઘન અને સચોટ છે. તેઓશ્રીનું નિરીક્ષણ કેટલું માર્મિક છે તેની પ્રતીતિ આ થોડી પંકિતઓ પણ કરાવી આપે છે. છેલ્લી કડીમાં કવિએ પક્ષી અને માછલાનાં સચોટ દષ્ટાંત દ્વારા પોતાના વક્તવ્યને વિશેષ ઓપ આપ્યો છે.
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy