SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ રસ ૧૪૨ કરે છે”. પણ જે અનુભવેકલિકાનો રસ પીએ છે તે જ તેનો અનુભવ કરી શકે છે. સાંભળવા કે કહેવા માત્રથી અનુભવરસ પ્રાપ્ત થતો નથી. અનુભવી બાહ્ય દેષ્ટિ દૂર કરી અંતરદૃષ્ટિ વડે મોક્ષ તરફ પ્રયાણ કરે છે. છેવટે કલ્યાણ સ્વરૂપ પરમાત્માને ભેટે છે. આવશ્યક સૂત્રમાં કહ્યું છે, “સિવ મન મય મત મુરવય” રૂ તે શિવ, કર્મરજથી રહિત, રોગરહિત થઈ અક્ષય સુખના ભોક્તા બને છે. ચેતનનું શુદ્ધસ્વરૂપ શિવ-શંકર જેવું જ છે. સાધકની અંતરદશાનું વર્ણન કરતાં કવિશ્રી કહે છે, वर्षा बुंद समुद्र समानी खबर न पावे कोई, કાનંવધન હૈ જ્યોતિ સમાવે, નવું વરુદાવે તો. અવધૂા કા વર્ષાઋતુમાં વાદળ છવાયા આકાશમાંથી વરસાદની ધાર વૃંદ બૂદ રૂપે થાય છે પણ એ જળ વહેતું વહેતું સમુદ્રમાં સમાઈ જાય છે પછી તેનું અલગ અસ્તિત્વ રહેતું નથી. તેમ જયારે જીવ શિવ બની જાય છે ત્યારે તે અનંત સિદ્ધો સમ બની જાય છે. એક જયોતમાં બધી જયોત મળી જાય છે. જેમ કે કહ્યું છે, એક માંહી અનેક રાજે, અનેક માંહે એક દંગ, એક અનેક કી નાહિ સંખ્યા, નમો સિદ્ધ નિરંજન.૪ દરેક જીવનું અલગ- સ્વતંત્ર અસ્તિત્વ હોય છતાં એક અનેક સમ બની જાય છે. શ્રી મોતીચંદ્રભાઈ લખે છે કે “અનુભવરસનું પાન કર્યા પછી જે ક્રિયા કરવામાં આવે છે તે એક બિન્દુ સમાન હોય તો પણ એક અપેક્ષાએ સમુદ્રતલ્ય થઈ જાય છે. અમુક ક્રિયાનો આધાર અધ્યવાસાયની નિર્મળતા પર છે. બાહ્ય સ્વરૂપે એક સરખી ક્રિયા કરનાર બે વ્યક્તિમાંથી એક મહાકર્મબંધ કરે છે ત્યારે બીજો ઉદાત્ત અવસ્થા ભોગવે છે. અનુભવજ્ઞાનની જયોત આત્મામાં સમાઈ જાય છે. આત્મજ્યોત આત્માથી ભિન્ન નથી. આત્મા તથા આત્મજયોત બંને એક રસરૂપ થઈને રહે છે. અનુભવજ્ઞાની બાહ્ય ચેષ્ટાઓ દ્વારા પોતાનું જ્ઞાન બીજાઓને જણાવી શકતા નથી અને જણાવવા ઈચ્છતા પણ નથી. જે અનુભવ કરે તેને તે જ્ઞાન થતાં, તેવી દશાને પામે છે. અનુભવજ્ઞાન થયા પછી ચેતનનું મનોરાજય એવું વિશાળ બની જાય છે કે તે સમુદ્રમાં પડેલા ટીપાંની જેમ
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy