SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ ૫૪-૧૭ . " छोराने क्युं मारे छे रे' અનુભવ રસ કવિશ્રી આનંદઘનજીએ ઉચ્ચભાવોને પ્રગટ કરી, સર્વજન હિતાર્થની ભાવના વડે આ પદમાં નવીનતાના દર્શન કરાવ્યા છે. સોરઠ ગિરનારી રાગમાં આ પદ લખાયેલું છે. જેમ સિંહગર્જનાથી બધાં વનચર પ્રાણીઓ ભયભીત થઈ ભાગી જાય છે તેવી રીતે કવિશ્રીએ આ પદમાં સિંહગર્જના કરી છે. छोराने क्युं मारे छे रे, जाय काटया डेण... છોરો છે મારો વાનો મોલો, જોને છે અમૃત વેળ...।।છોરાને।। છોરો એટલે છોકરો, દીકરો. અહીં દીકરો તે કોણ ? કવિએ અહીં સમ્યક્ત્વને દીકરારૂપે વર્ણવ્યો છે. વિવેકે આવી આત્માને જાગૃત કર્યો ત્યારે સુમતિ ચેતનને કહે છે કે “ઢે સ્વામી ! તમે સમ્યક્ત્વરૂપ દીકરાને શા માટે મારો છો ? તેના કારણે તો આપણું દેવું (ડેણ ) કપાશે. અહીં ઉપશમ સમ્યક્ત્વને દીકરો કહ્યો છે. એ ઘણો જ હોંશિયાર તથા બુદ્ધિમાન છે. સુમતિ કહે છે કે કે ચેતન ! આ દીકરો તારા ભવોભવના દેણાનો નાશ ક૨ના૨ છે. જે બાપની સંપત્તિ પર બેસે તે કાયર ગણાય છે. પણ જે દીકરો પોતાની કાંડાની કમાણી વડે બાપને કરજમાંથી મુક્ત કરે છે તે સુપુત્ર અથવા શૂરવીર કહેવાય છે. આ સમ્યક્ત્વરૂપ બેટડો તો મિથ્યાત્વરૂપ અંધકારનો નાશ કરનાર છે. દિવાળે તે દીકરો. ઘ૨માં, કુળમાં પ્રકાશ કરે તે દીકરો તેણે સમ્યક્ત્વરૂપ જ્ઞાનનો પ્રકાશ પ્રગટ કર્યો છે. જેથી અજ્ઞાનરૂપ અંધકાર નાશ પામ્યો છે. ચેતનનો આ દીકરો બાપને કર્મના દેવામાંથી મુક્ત કરે છે. કવિએ ઉપશમ સમ્યક્ત્વને બાળકની ઉપમા આપી છે. ચેતન ૫૨ મિથ્યાત્વરૂપ કર્મનું દેણું હતું. તેમાંથી આત્માને મુક્ત કરી હળવો ફૂલ બનાવી દીધો છે. પણ ઉપશમ સમ્યક્ત્વની અંતમુહૂર્તની સ્થિતિ હોવાને કા૨ણે અને અનાદિથી ઘર કરીને બેઠેલું મિથ્યાત્વ ઉપશમને અલ્પ સમયમાં જ બહાર કાઢી મૂકે છે. ઉપશમ ચેતનના ઘરમાંથી વિદાય લઇ લે છે પણ
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy