SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ SO અનુભવ રસ વિષય હોવાથી તેનો અવબોધ ક્રમથી થાય છે. છતાં સ્થૂલતામાં રાચતા જીવને એવું લાગતું નથી કારણ કે આ બધી સ્થિતિ બહુ અલ્પસમયની હોવાથી સ્થૂલદષ્ટિવાળાની નજરમાં આવે નહિ. તેમ આત્માનુભવ પણ ક્રમથી છેવટે ધારણા સુધી પહોંચી જાય છે. આત્માનુભવની પ્રતીતિ માટે ચેતનની કેવી દશા છે. તે ઘનશ્રીરાગમાં કવિ આ પદની પહેલી કડીમાં કહે છે, अनुभव नाथकु कन्युं न जगावे। ममता संग सो पाय अजागल , थनते दूध कहावे - अनुभव।।१।। ચેતનારૂપી સ્ત્રી અનુભવમિત્રને ઉદ્દેશીને કહે છે કે હે અનુભવ! તું તારા મિત્ર આતમસ્વામીને જાગૃત કેમ કરતો નથી? તે મમતાના સંગે રહી, આનંદની ઈચ્છા રાખે છે પણ એ તો બકરીને ગળે રહેલ આંચળમાંથી દૂધ દોહવા જેવી નિરર્થક વાત છે. સમતા અથવા આત્માની શુદ્ધચેતના અનુભવમિત્રને કહે છે કે, અનુભવ! તું ચેતનનો જીગરજાન દોસ્ત છે. તે દરેક સમયે તેની સાથે જ હોય છે. તેથી તને કહું છું કે તું મારા એ ચેતનરામને હવે જગાડ. તે તો મોહનિદ્રામાં પોઢયા છે અને તેથી જ તે પોતાનું સ્વરૂપ સાવ ભૂલી ગયા છે. મમતાના સંગે રહી તેના પ્રેમપાશમાં ફસાઈ ગયા છે. વિષયકષાયમાં મસ્ત બની, ભોગાસક્ત બની ગયા છે. મમતાનો પરિવાર એ જ તેનો પરિવાર છે. એવું તે માને છે. ઈન્દ્રિયભોગથી સુખ મેળવવાની ઇચ્છા એ તો બકરીનાં ગળાનાં આંચળ દોહવા બરાબર છે માટે તું જ તેને સમજાવ. મને તો ડર છે કે હું તેને કાંઈ કહેવા જાઉં તો તે મારી સામે અંગુલિસ વ્યવહાર કરશે તો? માટે જ આનંદઘનજી મ. બીજી કડીમાં કહે છે, मेरे कहेंते खीज न कीजे, तु ऐसे ही शिखावे। बहोत कहेते लागत ऐसी, अंगुलि सरप दिखावे।।अनुभव।।२।। અનુભવમિત્રને ચેતના કહે છે કે હે અનુભવ! તું ચેતનનો ઘણો નિકટનો મિત્ર છો. તેની બધી ચાલચલગત તું જાણે છે. ચેતન ! મમતાના સંગે જરા પણ સુખી નથી, તેથી તને હું ભલામણ કરું છું કે તું મારા ચેતનસ્વામીને સમજાવી, તું મિત્ર તરીકેની તારી ફરજ બજાવ.
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy