SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ રસ ૫૦ (૫) ઉચ્ચાર પાસવણ ખેલજલ સંઘાણ પારિઠાવણિયા સમિતિ ઉચ્ચાર=વડીનીત, પાસવણ લઘુનીત, ખેલકબળખો, જલ=મેલ, સંઘાણ=લીંટ યત્નાપૂર્વક પરઠે. જ્યાં જીવ જંતુ હોય ત્યાં ન પરઠે. માણસોની જ્યાં વિશેષ અવર-જવર હોય ત્યાં ન પરઠે. (૬) મનગુતિઃ આરંભ-સમારંભમાં મન ન પ્રવર્તાવે. (૭) વચનગુતિઃ સાવધ વચન ન બોલે. (૮) કાયમુસિઃ સાવધ યોગ ન પ્રવર્તાવે. શરીરની સુશ્રુષા ન કરે. આ પ્રકારે યોગી મૂળગુણ અને ઉત્તરગુણથી યુક્ત હોય છે. મુદ્રા - મન અને ઈન્દ્રિય વિજય માટે સાધક વિવિધ પ્રકારની મુદ્રા ધારણ કરે છે જેમકે યોગમુદ્રા, જિનમુદ્રા, મુક્તાસુક્તિમુદ્રા વગેરે. આચાર્ય કૃપાલ્વાનંદ કહે છે, મુદ્રાઓ આસનોનું વિકસિત રૂપ છે. આસનમાં ઇન્દ્રિયોની પ્રધાનતા અને પ્રાણની ગૌણતા હોય છે ત્યારે મુદ્રાઓમાં ઈન્દ્રિયોની ગૌણતા અને પ્રાણની પ્રધાનતા હોય છે. એક જ મુદ્રા વિવિધ આસનોમાં કરી શકાય છે. હઠયોગપ્રદીપિકામાં દશ પ્રકારની મુદ્રા બતાવી છે. महामुद्रा महाबन्धो, महावेधश्च खेतरी। उडयानं भूलबन्धश्च बंधो जालंधरो भिधः।। करणी विपरीताख्या, वजोली शक्ति चालनम्। इयं हि मुद्रा दशकं, जरा-मरण नाशनम्।। મહામુદ્રા, મહાબંધ, મહાવે, ખેતરી, ઉડીયાનબંધ, મહાબંધ, જાલંધર બંધ, વિપરીત કરણી, વજોલી, શક્તિચાલન આ દશ મુદ્રાઓ ક્રિયાયોગની અમર અનુભૂતિઓ છે. શ્રી મોતીચંદભાઈ કાપડિયા લખે છે, બે હાથની દશે આંગળી એક બીજામાં અંતરિત કરીને કમળના ડોડવાના આકારે અંદર અંદર જોડી દેવી અને બંને હાથની કોણીને પેટ ઉપર સ્થાપન કરવી તેનું નામ યોગમુદ્રા કહેવામાં આવે છે. પગના બંને અંગૂઠાઓ વચ્ચે ચાર આંગળનું અંતર રાખી પાછળની બંને પોની વચ્ચે ચાર આંગળથી થોડું ઓછું અંતર રાખી, ઊભા રહી, કાર્યોત્સર્ગાદિ કરવામાં આવે તેને જિનમુદ્રા કહે છે.
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy