SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૪s અનુભવ રસ न ध्यान ध्यान मित्या हु,ध्यान निर्विषय मनः। तस्य ध्यान प्रसादेन, सौख्यं मोक्षं न संशयः।। ધ્યાન મનને નિર્વિષયી બનાવે છે. ધ્યાનથી પરમ સુખ મળે છે. અને મોક્ષ પણ થાય છે. તેમાં કોઈ સંદેહ નથી. શ્રી દેવચંદજી મહારાજ લખે છે, अंतोमुहूर्ततितं, चितावत्थाण मेगवत्थुम्मि। છત્થા જ્ઞાળ, નોન નિરોદો ઉનાળ તા એક વસ્તુમાં અંતમુહૂર્ત સુધી ચિત્તની સ્થિતિરૂપ ધ્યાન છદ્મસ્થને હોય છે અને જિનોને યોગના નિરોધ કરવારૂપ ધ્યાન હોય છે. ધ્યાન જંગલમાં, ગુફાઓમાં, બગીચામાં, નદીકિનારે, સમુદ્રકિનારે, શૂન્યસ્થાન, સ્મશાનમાં વગેરે સ્થાનોમાં બહારનો અવાજ ન હોય તેવાં સ્થાનોમાં કરવું. શ્રી હેમચંદ્રાચાર્યજીએ ધ્યાનના મુખ્ય ચાર પ્રકાર બતાવ્યા છે. પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત. આ ચાર પ્રકારનાં ધ્યાનથી આત્માને ઉચ્ચદશા પ્રાપ્ત થાય છે. તેમાં એક-એક ધ્યાનમાં પેટા વિભાગ ઘણાં છે. (અ) પિંડOધ્યાનઃ पार्थिवी स्यादथाग्नेयी, मारुती वारुणी तथा। तत्त्वभूः पंचमीचेती, पिंडस्थे पंच धारणा।। પિંડWધ્યાનમાં પાર્થિવી, આગ્નેયી, મારુતી, વારુણી અને તત્ત્વભૂ આ પાંચ ધારણાઓ કરવાની છે. પાર્થિવ ધારણાઃ નિશબ્દ. કલ્લોલરહિત... તરંગોના ઉછાળાથી રહિત શ્વેત સમુદ્ર છે. એમાં એક લાખ યોજનાનું એક કમળ છે. એની એક હજાર પાંખડીઓ છે. એ કમળના મધ્યમાં અનેક કેસરો ખીલેલા છે. એ કેસરોની મધ્યમાં એક લાખ યોજન ઊંચી તેજસ્વી અને ઉર્જસ્વી કર્ણિકા છે. એ કર્ણિકા ઉપર એક સિંહાસન ઉપર આત્મા આસનસ્થ છે. એ આત્મા કર્મક્ષય કરવા માટે ચિંતન કરે છે... હું તમામ રાગદ્વેષ વગેરે કર્મોનો ક્ષય કરવા માટે સક્ષમ છું. આગ્નેયી ધારણાઃ સોળ પાંખડીવાળા કમળનું ધ્યાન નાભિમંડલ પાસે કરી તેની કર્ણિકા પર “અહ” મહામંત્રની સ્થાપના અને પાંખડીઓમાં
SR No.007167
Book TitleAnubhav Ras Part 01
Original Sutra AuthorN/A
AuthorJasubai Mahasati
PublisherAkhil Bharatiya Shwe Sthanakvasi Jain Conference
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy