SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ હાર' સુંદર ક્રમ જિજ્ઞાસુ ભવ્યાત્માઓ માટે વિશેષપણે અનાવૃત કર્યો છે. આ વિષમ ભૌતિક યુગમાં ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાનની પ્રભાવના એ પૂજ્યશ્રીની નિષ્કારણ કરુણાની નિષ્પત્તિ છે. આ વર્ષના આરાધનાગ્રંથની વિગતમાં પ્રવેશ કરીએ તે પૂર્વે છેલ્લાં થોડાં વર્ષોમાં પર્યુષણ પર્વ દરમ્યાન અવગાહેલ સત્કૃતિઓનું વિહંગાવલોકન કરી લઈએ – વર્ષ રચયિતા ઈ.સ. ૧૯૯૨ અપૂર્વ અવસર શ્રીમદ્ રાજચંદ્રજી ઈ.સ. ૧૯૯૩ “છ પદનો પત્ર' શ્રીમદ્ રાજચંદ્રજી ઈ.સ. ૧૯૯૪ : “આઠ યોગદષ્ટિ ઉપાશ્રી યશોવિજયજી ઈ.સ. ૧૯૯૫ છ ઢાળા' પંડિતશ્રી દૌલતરામજી ઈ.સ. ૧૯૯૬ સમાધિતંત્ર' આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામી ઈ.સ. ૧૯૯૭ “અનુભવપ્રકાશ' પં. દીપચંદજી કાસલીવાલ ઈ.સ. ૧૯૯૮ યોગસાર' આચાર્યશ્રી યોગીન્દુદેવ ઈ.સ. ૧૯૯૯ ‘તત્ત્વજ્ઞાનતરંગિણી' ભટ્ટારકશ્રી જ્ઞાનભૂષણજી ઈ.સ. ૨૦૦૦ “સમ્યજ્ઞાનદીપિકા' સુ. બહ્મચારીશ્રી ધર્મદાસજી ઈ.સ. ૨૦૦૧ “શ્રી ભક્તામર સ્તોત્ર' આચાર્યશ્રી માનતુંગસૂરિજી ઈ.સ. ૨૦૦૨ ‘ઇબ્દોપદેશ' આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામી ઈ.સ. ૨૦૦૩ “આત્માનુશાસન' આચાર્યશ્રી ગુણભદ્રસ્વામી સામ્યભાવ એ મોક્ષમાર્ગનો અનિવાર્ય સાથી છે, સ્વરૂપારોહણની નિસરણી છે. વિષયો અને કષાયોમાં રમમાણ રહેતા ઉપયોગને પરમાંથી પાછો ખેંચી, પ્રત્યેક પરિસ્થિતિમાંથી સમપરિણામે પસાર થઈ જવાનો આત્મહિતકારી બોધ પરમકૃપાળુદેવે નિરંતર પ્રકાશ્યો છે. સંસારભાવથી અસ્પષ્ટ રહી પરમાનંદમય સામ્યાસન પર બિરાજમાન થવાની પ્રેરણા આપતાં તેઓશ્રી
SR No.007163
Book TitleSamya Shatak
Original Sutra AuthorN/A
AuthorVijaysinhsuri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2004
Total Pages1320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy