SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ आशाः कुवलयन्नुच्चैस्तमो मांसलयन्नयम् । હોમ: पुमर्थहंसानां प्रावृषेण्यघनाघनः ।। સામ્યશતક શ્લોક-૪ અર્થ આશાઓને ઉચ્ચ રીતે પ્રફુલ્લિત કરતો અને અંધકારને પુષ્ટ કરતો એવો લોભ, પુરુષાર્થરૂપ હંસોને માટે વર્ષાકાળના મેઘ જેવો છે. — ભાવાર્થ જેમ વર્ષાકાળનો મેઘ દસે દિશાઓને પ્રફુલ્લિત કરે છે, અંધકારની વૃદ્ધિ કરે છે અને રાજહંસોને નસાડે છે; તેમ લોભરૂપી મેઘ ઇચ્છાઓને પ્રફુલ્લિત કરે છે, અજ્ઞાન-અંધકારની વૃદ્ધિ કરે છે અને પુરુષાર્થરૂપી રાજહંસોને નિષ્ફળ બનાવે છે. ધર્મ-મોક્ષનો પુરુષાર્થ તો થઈ શકતો જ નથી, પરંતુ કામઅર્થના પુરુષાર્થ પણ સફળ થતા નથી. આમ, લોભના કારણે જ્ઞાનપ્રકાશ તિરોહિત થાય છે, જીવની તૃષ્ણાઓ વધે છે અને અસંતોષની આગ તેને નિરંતર બાળ્યા કરે છે. ન તે ધર્મ કરી શકે છે, ન તેને શાંતિ મળે છે, ન તેને સુખ મળે છે, ન તેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. ―
SR No.007163
Book TitleSamya Shatak
Original Sutra AuthorN/A
AuthorVijaysinhsuri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2004
Total Pages1320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy