SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત રહસ્ય પપ જ્ઞાયકનું પરિણમન થઈ જાય. પરિણમન (થઈ જાય) એટલે આનંદની દશા પરિણમી જાય. એનું નામ સમ્યગ્દર્શન (છે). અને ક્રમબદ્ધની અંદર અવસ્થાનું ફળ એ આવ્યું. આહા..હા...! એના ક્રમમાં એ (સમ્યગ્દર્શન) આવ્યું. તે કાળે તેને તે દૃષ્ટિ જો દ્રવ્ય ઉપર જાય તો એને આનંદનો અનુભવ થાય. એના ક્રમબદ્ધમાં એ ફળ આવે. કારણ કે ક્રમબદ્ધવાળો દૃષ્ટિ દ્રવ્ય ઉપર રાખે છે. આહા..હા... ! ક્રમે ક્રમે થવાનું તે જ થશે, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. એની દૃષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે, (અર્થાતુ) જ્ઞાયક - ચૈતન્ય ઉપર જાય છે. એથી જ્ઞાયકને આનંદમાં અનુભવતા એનો દેહ છૂટે છે પણ જેને આ જ્ઞાયકની ખબર નથી એ ભગવાન.... ભગવાનનું સ્મરણ કરતાં દેહ છૂટે તો પણ તે શુભભાવ છે, એ કાંઈ ધર્મ નથી. " એ અહીં કહે છે “....વિકલ્પો આવે, પણ ચૈતન્યતત્ત્વ તે હું છું . એવો વારંવાર અભ્યાસ કરવાથી દઢતા થાય. આહા..હા..! હવે જરી થોડું આકરું આવ્યું. L ૭૦ ૦ ૦ જ્ઞાનીને અભિપ્રાયમાં રાગ છે તે ઝેર છે, કાળો સર્પ છે. હજુ આસક્તિને લઈને જ્ઞાની બહાર થોડા ઊભા છે, રાગ છે, પણ અભિપ્રાયમાં કાળો સર્ષ લાગે છે. જ્ઞાનીઓ વિભાવની વચ્ચે ઊભા હોવા છતાં વિભાવથી જુદા છે, જ્યારા છે.” ૧૯.” જ્ઞાનીને...' (અર્થાતુ) ધર્મીને (એટલે કે જેને આત્માનું જ્ઞાન થયું છે તેને આત્મા જેને જાણવામાં આવ્યો તેને ....અભિપ્રાયમાં રાગ છે તે ઝેર છેસમયસાર મોક્ષ અધિકારમાં કહ્યું છે શુભરાગ છે એ વિષકુંભ છે, ઝેરનો ઘડો છે. એ સમયસારના મોક્ષ અધિકારમાં દયા, દાન, વ્રત, ભક્તિનાં પરિણામને ઝેર કહ્યાં છે. એ વિષનો ઘડો કહ્યો છે ! ઝેરનો ઘડો..આહા..હા...!
SR No.007160
Book TitleVachnamrut Rahasya
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2001
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy