SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ વિચનામૃત-૬] કાંઈ પાપ છોડીને પુણ્ય કરો ને પુણ્યથી કાંઈક તમને (કલ્યાણ) થાશે, એ વાત અહીં નથી. એ વાત અનંતવાર કરી ને લોકોએ અનંતવાર ભોગવી. પુણ્ય-પાપના ભાવ સિવાય ભિન્ન આત્મસ્વભાવની વાત સાંભળી નથી). શબ્દો થોડા છે (પણ) ભાવ આમાં ઘણો ઊંચો છે. “સ્વભાવની વાત સાંભળતાં સોંસરવટ કાળજે ઘા પડી જાય.’ આહા...હા...હા...! અંતરમાં આત્મા આનંદ ને જ્ઞાનસ્વરૂપ છે - એવો અંદરમાં ઘા પડી જાય. પુષ્યને પાપની બીજી વાત એક કોર રહો, પર્યાયની પણ અપેક્ષા જ્યાં નથી એવા) ત્રિકાળી જ્ઞાયક સ્વભાવની આ તો વાત છે. ત્રિકાળી જ્ઞાયક ને આનંદ જેનો સ્વભાવ (છે) એ વાત સાંભળતાં સોંસરવટ કાળજે ઘા પડી જાય. સ્વભાવ' શબ્દ સાંભળતાં શરીરની સોંસરવટ કાળજામાં ઊતરી જાય.” ઝીણી વાત છે. આ...હા...હા...હા...! અંદરમાં આત્મા આનંદ ને જ્ઞાનનો નાથ પૂર્ણાનંદ પ્રભુ છે. અનંત આનંદ ને અનંત શાંતિ... જેમાં અપાર શાંતિ અને અપાર આનંદુ પડ્યો છે એવો જે ભગવાન આત્મા ! એના સ્વભાવની વાત સાંભળતાં, (એ) ભાવ એને શરીરથી જુદો સોંસરવટ ઊતરી જાય (એમ). કહે છે. ત્યારે તેની પ્રાપ્તિ થાય નહિતર એની પ્રાપ્તિ થાય એમ છે નહિ. આ...હા...હા...હા...! ઝીણી વાત છે ભાઈ ! (પણ) અપૂર્વ વાત છે. આહા...! “રુવાંટે રુવાંટાં ખડાં થઈ જાય....' અંદર રુવાંટાં ખેડાં થઈ જાય. અંદર સ્વરૂપમાં સ્થિર થતાં, આનંદ ને જ્ઞાનનો અનુભવ થતાં રુવાંટાં ખડાં થઈ જાય. એ વાત આવે છે. યાદ છે ? ટોડરમલમાં ‘રહસ્યપૂર્ણ ચિઠ્ઠી' માં આવે છે). “રોમાંચ થાય છે . એમ આવે છે. ખબર છે. વાત સાંભળતાં અંદર રોમાંચ ખડાં થઈ જાય. આહા...હા..હા...! આ આત્મા !! અતીન્દ્રિય આનંદનો સાગર ! અંતર' અતીન્દ્રિય જ્ઞાનનો અનંત મહિમાવંત પ્રભુ ! શું છે આ !! 'એવી એની અંદર સોંસરવટ વાત ઊતરી જાય. “..રુવાંટે રુવાંટાં ખડાં થઈ જાય. આહાં...! બહારની કોઈ વાત સાંભળતાં એને હોંશ ને ઉત્સાહ આવી જાય છે ને ? એમ આ વાત સાંભળતાં અંતરમાં ઉત્સાહ ને હોંશ આવે. આહા...હા...! ...એટલું હૃદયમાં થાય,.... આટલું જ્યારે હૃદયમાં થાય. ...અને સ્વભાવ પ્રાપ્ત કર્યા વિના ચેન ન પડે .' આ........! " આ તો બેન થોડું બેન-દીકરીયુંની અંદર બોલી ગયેલાં. એ આ લખાયેલી વાત બહાર આવી ગઈ. ભગવાનની વાણી સાંભળીને અંતર અનુભવ થયો
SR No.007160
Book TitleVachnamrut Rahasya
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2001
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy