SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત રહસ્ય Soo છે ૭૦ ૦ ( જ્ઞાનીની પરિણતિ સહજ હોય છે. પ્રસંગે પ્રસંગે ભેદજ્ઞાનને યાદ કરીને તેમને ગોખવું નથી પડતું, પણ તેમને તો એવું સહજ પરિણમન જ થઈ ગયું હોય છે . આત્મામાં એકધારું પરિણમન વર્યા જ કરે છે.” ૩. 0 ત્રીજો બોલ. “જ્ઞાનીની પરિણતિ સહજ હોય છે. શું કહ્યું એ ? જેને ધર્મ થાય છે તેને આત્મજ્ઞાન થાય છે. તે આત્માનું જ્ઞાન અને વર્તે છે. તેથી તે ધર્મીને જ્ઞાનીની પરિણતિ નામ અવસ્થા, પરિણતિ એટલે દશા, જ્ઞાનીની દશા સહજ હોય છે. તે સ્વાભાવિક જાણનાર - દેખનાર રહીને આનંદમાં રહે છે. આહા...હા...હા...! આવો માર્ગ છે. જ્ઞાનીની પરિણતિ.... એટલે પર્યાય. જ્ઞાનીની પરિણતિ એટલે પર્યાય - અવસ્થા. .....સહજ હોય છે.' ત્યાં હંઠ નથી હોતી. આહા...હા...! અંદર જ્ઞાનાનંદ, સહજાનંદ પ્રભુનું જ્યાં જ્ઞાન અને ભાન થયું અને ધર્મની શરૂઆત થઈ એ સહજ થાય છે. એની એ દશા સહજ હોય છે, કૃત્રિમ નથી. “પ્રસંગે પ્રસંગે ભેદજ્ઞાનને યાદ કરીને તેમને ગોખવું નથી પડતું... શું કહે છે ? જેને ભેદજ્ઞાન (થઈને) આત્મજ્ઞાન થયું તેને પ્રસંગે પ્રસંગે આ રાગથી જુદું પાડવાનો પ્રસંગ પછી નથી રહેતો. જુદો પડ્યો એ પડ્યો. પછી એને નવું ભેદજ્ઞાન વિકલ્પાત્મક) કરવું પડતું નથી. અરે...! અરે....! આત્મા આનંદમૂર્તિ ભગવાન અંદરથી જુદો પડ્યો તેને હવે પ્રસંગે પ્રસંગે ભેદજ્ઞાનને યાદ કરીને ગોખવું નથી પડતું. એટલે ? આ રાગ હું નહિ, પુણ્ય હું નહિ એમ વારંવાર પછી જ્ઞાનીને કરવું પડતું નથી. આહા...હા...હા...! - એ રાગના વિકલ્પથી ચાહે તો દયા, દાન, ને વ્રતનો વિકલ્પ - રાગ હોય એનાથી પણ ધર્મીની દશા - પરિણતિ જુદી હોય છે. એને જુદી ગોખવી
SR No.007160
Book TitleVachnamrut Rahasya
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2001
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy