SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ [વચનામૃત-૫૨] આહા..હા..! જરી પણ દ્વેષ નથી હાથી ઉ૫૨ ! તેમ રાજા ઉપર ! જે કાળે જે પર્યાય થવાની તેને કોણ રોકે ? હું એક ચૈતન્ય આત્મા જ્ઞાતા-દૃષ્ટા છું ! એમાં કોઈની અસર (થતી નથી), અને કોઈ અડચણ ક૨ના૨ છે નહિં !' (એમ સમાધાન વર્તે છે). આહા..હા..! === ૨૧૪ ભાઈ ! એ હાથી આમ આવે છે, પગ મૂકે છે, દેહ છૂટી જાય છે. આહા..હા..! સ્વર્ગમાં ચાલ્યાં જાય છે. મોક્ષમાર્ગ પ્રકાશક'ના કર્તા ! શરીર ઉપરની મમતા પણ છૂટી ગઈ છે. શરીર મારું નથી. એને રહેવાનું હોય તો રહે અને ન રહેવાનું હોય તો ન રહે. મારા અધિકારની વાત નથી. મારો અધિકાર તો મારા આત્મા માટે છે. આહા..હા..! આવી અંદર દ્રવ્યની દૃષ્ટિ, આત્માના ધ્યેયની દૃષ્ટિ કર્યા વિના, આવી સમતા આવા કાળમાં રહી શકે નહિ ! એ આનંદ (સ્વરૂપની) જ્યાં દ્રવ્યદૃષ્ટિ થઈ છે, એ હાથી પગ (મૂકે) છે છતાં પોતે આનંદમાં છે!! આહા..હા..! *** દેહથી ભિન્ન જેણે આત્માને જાણ્યો છે એવા સમ્યષ્ટિ, પછી ભલે આઠ વર્ષની બાલિકા હોય, કે કૂતરાનું બચ્ચું હોય પણ સમકિત પામે છે. અઢી દ્વીપ બહાર અસંખ્ય તિર્યંચો સમકિતી છે. આ મનુષ્યક્ષેત્ર છે (એ) ૪૫ લાખ જોજન(માં) (છે). એટલાંમાં જ મનુષ્ય છે. પછી અઢી દ્વીપ બહાર અસંખ્ય દ્વીપ છે અને અસંખ્ય સમુદ્ર છે. એ બધાંમાં એકલાં તિર્યંચ જ વસે છે. એ તિર્યંચમાં પણ અસંખ્યમાં ભાગે કેટલાંક સમકિતી છે. અસંખ્યગુણા મિથ્યાદષ્ટિ છે. એ તિર્યંચ સમકિતી છે ! આહા..હા..! · મીંદડી હોય એને સમકિત–થાય અને વાઘ ખાવા આવે (તો) ડરે નહિ, નીડ૨૫ણે અંદર (રહે છે) કે, શરીર મારું નથી. શરીરની સ્થિતિ (મારી નહિ) ! શ્રીમમાં આવે છે ને ? એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો,’ આહા...! મારી દશા એવી આવે, ગમે તે પ્રતિકૂળ પ્રસંગ બને...! એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો, અડોલ આસન ને મનમાં નહિ ક્ષોભતા'
SR No.007160
Book TitleVachnamrut Rahasya
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2001
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy