SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ વિચનામૃત-૪૩] અને શાંતરસથી તરબોળ દેખાય છે. જેને આત્માની રૂચિ નથી અને વૈરાગ્ય અને શાંતરસથી તરબોળ દેખાય છે. જેને આત્માની રૂચિ નથી અને રાગની રૂચિ છે, એને રાગની રુચિમાં - એ રાગ એકલો ચંચળતાવાળો અને લૂખો છે. ભલે શુભ હોય પણ લૂખો અને ચંચળતાવાળો છે. શાંતિ અને અચંચળતા એમાં બિલકુલ નથી. આહા....! આવી વાતું છે. શુભ રાગ હોં ! આ ક્રિયા ! આ બધી શુભની ક્રિયા છે ને ! (તેની વાત કરે છે). ધર્મ તો શુભથી પર છે. અંદરમાં ધર્મ છે. ધર્મ કાંઈ બહારથી થાતો નથી. (ધર્મીને પણ) એ શુભ ભાવ વચ્ચે આવે. પૂર્ણ (વીતરાગતા) નું હોય ત્યાં આવ્યાં વિના રહે નહિ. પણ (એ)-લૂખા–લાગે, એમાં ચીકાશ હોય, એમાં રસ ન હોય, એમાં એકાકાર ન હોય, આહા..હા..! અને અજ્ઞાનીને તો શુભ ભાવો લૂખા અને ચંચળતાવાળા હોય છે. આહા..હા... C જેમ કોઈ બાળક માતાથી વિખૂટો પડી ગયો હોય તેને પૂછીએ કે “તારું નામ શું ? તો કહે “મારી બાજી, તારું ગામ ક્યું ? તો કહે “મારી બા, ‘તારાં માતા-પિતા કોણ ? તો કહે “મારી બા'; તેમ જેને આત્માની ખરી રુચિથી જ્ઞાયકસ્વભાવ પ્રાપ્ત કરવો છે તેને દરેક પ્રસંગે જ્ઞાયકસ્વભાવ....જ્ઞાયકસ્વભાવ . એવું રટણ રહ્યા જ કરે, તેની જ નિરંતર રુચિ ને ભાવના રહે.” ૪૩. N o o o o o ૪૩ (બોલ). જેમ કોઈ બાળક માતાથી વિખૂટો પડી ગયો હોય....” માતાની આમ આંગળી ઝાલીને ચાલતાં હોય, ઝાઝા માણસમાં આંગળી છૂટી ગઈ અને મા આઘી ચાલી ગઈ ને છોકરો ક્યાંક દૂર રહી ગયો. આ તો અમે પોરબંદરમાં નજરે જોયેલું. પોરબંદર ચોમાસું હતું. એક છોડી ખોવાઈ ગયેલી.
SR No.007160
Book TitleVachnamrut Rahasya
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2001
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy