SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ * * - - - - - - - - - વચનામૃત રહસ્ય એકેન્દ્રિયમાંથી નીકળીને જ્યાં પંચેન્દ્રિયામાં આવ્યો છે, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, એ ૨000 સાગર સુધી રહેશે. પછી (ત્રસમાંથી) નીકળીને એકેન્દ્રિયમાં જવાનો. એમાં કહે છે કે ૨૦૦૦ સાગરમાં મનુષ્યનાં ભવ ઉપરા-ઉપર કર્યા તો ૮ કર્યા અને એ આઠ પણ છ વાર કર્યા (એટલે) ૪૮ કર્યા. પણ આત્માનું હિત) કર્યું નહિ. ૪૮ ભવ ૨૦00 સાગરની અંદર કર્યા !! આહા..હા..! ૨000 સાગરમાં પણ અસંખ્ય અબજ વર્ષ છે. એમાં ૪૮ વાર મનુષ્ય થયો છે, (એમ) કહે છે. ઉપરા-ઉપર થાય તો તું વોર (થાય). પણ પછી ૮ વાર થઈને વળી પાછો બીજામાં નરક-તિર્યંચમાં જાય, વળી પાછો મનુષ્ય થાય, એવા ભવ કરે તો આખા ૨૦00 સાગરમાં (મનુષ્યનાં) ૪૮ ભવ કરે. પછી મરીને નિગોદ કે નરકમાં જાય, આહા..હા..! જ એણે આત્માનું કામ ન કર્યું. અરેરે... એની જો ગતિ ન સુધારી (તો પાછો નિગોદમાં જાશે. અહીં એ કહે છે કે અપૂર્વ પુરુષાર્થ ઉપાડ ! “....વસ્તુ સ્વભાવમાં લીન થતાં.....' આહા..હા...! ભગવાન આત્મા ! એનો વસ્તુનો સ્વભાવ જે છે - જ્ઞાન, દર્શન ને આનંદ એમાં લીનતા થતાં ..આત્માર્થી જીવને બધાં વિકલ્પો છૂટી જાય છે... આહા..હા..! આ પંચમ આરામાં બધો અવસર આવી ચૂક્યો છે . સબ અવસર આન મિલા હૈ. એમાં આ જો નહિ કરે, વિકલ્પ તોડશે નહિ અને નિર્વિકલ્પ દૃષ્ટિ કરશે નહિ તો એનો આરો ક્યાંય નહિ આવે ! એ અહી કહે છે “આત્માર્થી જીવને બધાં વિકલ્પો છૂટી જાય છે...' આહા..હા...! જ્ઞાયક છું, અબદ્ધ છું, શુદ્ધ છું, પૂર્ણ છું, પવિત્રતાનો પિંડ છું એવો પણ એક વિકલ્પ નામ રાગ એકાંત દુઃખરૂપ છે. આ..હા..હા..! તો બહારની ચીજને માટે ઉત્પન્ન થયેલાં રાગ-દ્વેષની વાત તો શું કરવી ? એ તો દુઃખનો દરિયો છે, બાપા ! આહા..હા..! અંદર જ્ઞાયક ને અબદ્ધ આદિનો વિકલ્પ પણ દુઃખરૂપ છે. તેથી બધાં વિકલ્પો છૂટી જાય છે. “....અને આનંદનું વેદન થાય છે. ત્યારે તેને સમ્યગ્દર્શન થાય છે. આહા...! સમ્યગ્દર્શન એટલે શું ? એમ કોઈ ભાઈ પૂછતાં હતાં. સમ્યગ્દર્શન એટલે અંતર (આત્માનો અનુભવ કરવો. રાગ છોડીને વિકલ્પ છોડીને ચેતનનો અનુભવ કરવો અને એમાં પ્રતીતિ કરવી એનું નામ સમ્યગ્દર્શન (છે). હું પરમાત્મ સ્વરૂપ છું. હું જ્ઞાતાદૃષ્ટા છું, મારા સ્વભાવમાં વિકલ્પ અને અલ્પતા લો. પાલિકા ના એકતા અને છે - - = = - - - -
SR No.007160
Book TitleVachnamrut Rahasya
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2001
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy