SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ [વચનામૃત-૩૬] બીજી રીતે કહે છે, ભગવાન આત્મા તો પોતાનો સદાય વિજ્ઞાનધન સ્વભાવ હોવાથી જ્ઞાતા છે. ભગવાન આત્મા તો સદાય નિરાકુળતા - સ્વભાવને લીધે કોઈનું કાર્ય તેમ જ કોઈનું કારણ નથી. આત્મા કોઈનું કાર્ય નથી. આત્મા કોઈનું કારણ નથી. જગતના કામમાં આત્માનું કારણ નથી. તેમ આત્મા જગતના કોઈ કારણથી થાય, એમ નથી. આત્મા પરના કારણ અને પરના કાર્ય વિનાનો છે. એને અહીંયા ભગવાન આત્મા કહેવામાં આવે છે એવું લાંબુ લખાણ છે. અહીંયા તો તમારે છપાયું છે. અહીં એમ કહે છે, “ઉપયોગને સૂક્ષ્મ કરીને સહજ સ્વભાવ પકડવો જોઈએ. આહા...હા...! ૩૫ (થયો). 0 C જે પ્રથમ ઉપયોગનો પલટો કરવા માગે છે પણ અંતરગ રુચિને પલટાવતો નથી, તેને માર્ગનો ખ્યાલ નથી. પ્રથમ રુચિનો પલટો કરે તો ઉપયોગનો પલટો સહજ થઈ જશે. માર્ગની યથાર્થ વિધિનો આ ક્રમ છે.” ૩૬. 0 0 | (૩૬મો બોલ) જે પ્રથમ ઉપયોગનો પલટો કરવા માગે છે પણ અંતરંગ રુચિને પલટાવતો નથી,... (અર્થાતુ) જાણવા - દેખવાના ઉપયોગને અંદર લઈ જવા માગે છે પણ રુચિ ફેરવતો નથી તો અંદર નહિ જઈ શકે. આ..હા.. હા...! ઝીણી વાત છે, ભાઈ ! પ્રભુ ! આ બહારના ઠાઠ-માઠ તો બધાં ધૂળ - મસાણ (છે). આહા. હા..! - નાની ઉમરના જ્યારે બાળક હતાં ત્યારે દસ-બાર વર્ષની ઉમર (હતી). તે વખતે તો શરીર તો બહુ રૂપાળું હતું. આ તો નેવું વર્ષ) અત્યારે થયાં. એટલે બહાર મસાણ (સ્મશાન) તરફ જોવા જઈએ તો ના પાડે ત્યાં જશો - - -
SR No.007160
Book TitleVachnamrut Rahasya
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2001
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy