SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મરણાંજલી મનસુખલાલ મોનજી જૈન મંગળાબહેન મનસુખલાલ જૈન અનંત અનંત ઉપકારી અધ્યાત્મયુગસૃષ્ટા પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીની પાવન જન્મભૂમિ ઉમરાળામાં આપનો જન્મ થયો હતો તથા બાળપણ પણ ત્યાં વીત્યું હતું. આપે આપના જીવનમાં પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી દ્વારા ઉપદિષ્ટ વીતરાગ દિગંબર જૈન ધર્મ અંગીકાર કરેલ. આપ બન્નેને પૂજ્ય ગુરુદેવશ્રી, પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબહેન તથા સોનગઢ સાધનાભૂમિ પ્રત્યે અનન્ય શ્રદ્ધા, ભક્તિ અને સમર્પણતા હતી. જે આપ બન્નેએ આપના જીવનના અંત સમય સુધી ટકાવી રાખી હતી. બાહ્યમાં દેવ, શાસ્ત્ર, ગુરુ અને અંતરમાં નિજ જ્ઞાયક સ્વરૂપને સદા શરણરૂપ સમજી અત્યંત શાંત પરિણામસહ દેહત્યાગ કર્યો હતો. આપે અમ બાળકોના જીવનમાં સુસંસ્કારોનું સિંચન કરીને નિજ આત્માની આરાધના કરવાની પ્રબળ પ્રેરણા અને જીવનમાં ક્યારેય વીતરાગ દેવ, ગુરુ, શાસ્ત્ર પ્રત્યેની શ્રદ્ધામાં અંશમાત્ર પણ કમી ન લાવવાની સલાહ આપી અમોને યોગ્ય સંસ્કારોનું સિંચન કરેલ. શ્રી જિનેન્દ્રદેવ દ્વારા, પ્રરૂપિત તથા પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા ઉપદિષ્ટ વીતરાગ માર્ગે ચાલી આપ બન્ને શાશ્વત સુખને પામો એવી પવિત્ર ભાવના સહ. પુત્રો: પ્રકાશભાઈ, નિલેષભાઈ, પુત્રવધુ : પલ્લવીબહેન, ચારૂબહેન, જિનલબહેન પાર્થિવભાઈ પુત્રીઓ : શૈલાબહેન ઘનશ્યામભાઈ લીંબડીયા હર્ષાબહેન દિલિપભાઈ ગોસલીયા પૌત્રો-પૌત્રીઓ : વિધિ, આગમ, પૂજા, તીર્થેશ દોહિત્રો-દોહિત્રીઓ રીનિતા, કુંજલ, વિદેહી, હાર્દિક, ચિંતન
SR No.007160
Book TitleVachnamrut Rahasya
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2001
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy