SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત રહસ્ય ૧૦૧ સો જાને નહિ કોઈ' એ રાગ આવે છતાં સમ્યષ્ટિ તેનો કર્તા થતો નથી. ઝીણી વાત છે, ભગવાન આ..હા..હા...હા...! એ રાગનો કર્તા થતો નથી, તેનો જાણનાર રહે છે. જ્ઞાનસ્વરૂપમાં એ જાણે છે કે હું જ્ઞાન ને આ રાગ ભિન્ન ચીજ છે. એવું અંદર ભેદજ્ઞાન (વર્તી રહ્યું છે). બે (વચ્ચે). તડ પડી ગઈ છે. રાગ અને આત્મા વચ્ચે તડ - સંધિ પડી ગઈ છે. રાગ અને આત્મા વચ્ચે સાંધ છે, તડ છે. એ સમ્યગ્દર્શન થતાં તડમાં બે જુદાં પડી જાય, ફડાક દઈને...! આહા..હા..હા..! એ રાગ હોવા છતાં તેને તેનું અલ્પ બંધન છે. એ કહેશે, જુઓ ! ....ગૃહસ્થાશ્રમમાં હોવા છતાં, બધાં જ કાર્યોમાં ઊભા હોવા છતાં, લેપ લાગતો નથી, નિર્લેપ રહે છે; જ્ઞાનધારા ને ઉદયધારા બે જુદી પરિણમે છે;... જ્ઞાનધારા અને રાગ - બન્ને ધારા એક સાથે આવે છે. ધર્મી છે, હજી વીતરાગ થયો નથી, આત્મજ્ઞાન થયું છે તો જ્ઞાનધારા પણ સાથે છે અને રાગધારા પણ જોડે સાથે જ છે. આ..હા..હા..! આ વાત બેસે (કેવી રીતે) ? ....જ્ઞાનધારા ને ઉદયધારા બે જુદી પરિણમે છે;....' (અર્થાત્ બે જુદાં રહે છે, બન્ને એક થતાં નથી, આહા..હા:..! જ્યાં અંતર ચૈતન્ય ગોળો (ચૈતન્ય) પ્રભુને છૂટો જાણ્યો, એને પછી રાગનાં પરિણામ આવ્યાં છતાં કહે છે કે, એ જુદો જ રહે છે. ઝીણી વાત છે, આહા..હા..! સભ્યષ્ટિ જીવો કરે કુટુંબ પ્રતિપાલ, અંતરંગસે ન્યારો રહે, જેમ ધાવ ખિલાવે બાળ' (એટલે કે) બાળકને એની માતા ધવરાવે...., પોતે (એની) માતા ન હોય, મરી ગઈ હોય અને બીજી માતા (ધવરાવે તો) પણ એ એમ ન માને કે, આ મારો દીકરો છે. ધવરાવે, બધું કામ કરે પણ છોકરો કો'ક નો છે એમ માને (છે). એમ ધર્મી(ને) આત્માનું જ્ઞાન થતાં રાગની ધારા હોય છે. ઉદયધારા કીધી ને ? જ્ઞાનધારા હોય છે અને ઉદયધારા (હોય છે). બન્ને હોય છે. આહા...હા...! વીતરાગ થાય ત્યારે એક જ્ઞાનધારા હોય છે. મિથ્યાદષ્ટિ હોય છે ત્યા૨ે એકલી કર્મધારા હોય છે. સમ્યક્દષ્ટિ થાય છે ત્યારે જ્ઞાનધારા અને કર્મધારા બન્ને હોય છે. સમજાય છે કાંઈ ? આ...હા..હા...! - સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા થાય ત્યારે એકલો આનંદ અને જ્ઞાનધારા રહે. મિથ્યાદ્દષ્ટિ રાગને પોતાનો માને અને જ્યાં સુધી તેમાં રસ છે ત્યાં તેને એકલી કર્મધારા - વિકા૨ધા૨ા રહે છે. સમ્યક્દષ્ટિ થયો, (પૂર્ણ) વીતરાગ
SR No.007160
Book TitleVachnamrut Rahasya
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2001
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy