SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રષ્ટિનો વિષય પૃથવિતર્ક નામનું પહેલું શુકલધ્યાન આઠમા ગુણસ્થાને થાય છે. તેમાં અર્થસંક્રાન્તિ, વ્યંજનસંક્રાન્તિ અને યોગસંક્રાન્તિ થાય છે. અર્થસંક્રાન્તિનો અર્થ છે એક દ્રવ્ય પરથી બીજા દ્રવ્ય પર ઉપયોગનું જવું. વ્યંજનસંક્રાન્તિનો અર્થ છે એક પર્યાયથી બીજી પર્યાય પર્ ઉપયોગનું જવું. યોગસંક્રાન્તિનો અર્થ છે એક યોગ પરથી બીજા યોગ પર ઉપયોગનું જવું. આપણો આત્મા તો એક જ દ્રવ્ય છે, માટે ઉપયોગ બીજા દ્રવ્ય પર ગયો ને ? તેથી એક બાજુ જ્ઞાનનો ઉપયોગ પર દ્રવ્ય ઉપર છે અને આઠમું ગુણસ્થાન ચાલી રહ્યું છે. આમ ઉપયોગ બીજા ઉપર હોય ત્યારે પણ અંદર આત્માની અનુભૂતિમાં પહોંચી જાય છે – ફક્ત દ્રષ્ટિનું જોર હોવું જોઈએ. . - or એક વખત તત્વનો નિર્ણય સાચો અને પાકો થઈ ગયો, પછી તત્સંબંધી વિકલ્પો તો ચાલતા રહે છે. તે વિકલ્પો અનિત્યતા વિષે, અશરણતા વિષે, એકત્વવિષે, અન્યત્વ વિષે, ત્રિકાળી ધ્રુવ વિષે કે આત્મા શુદ્ધ બુદ્ધ નિરંજન છે આદિ કોઈપણ વિષે હોઈ શકે છે, તેમાં શું છે ? જ્યારે આઠમા ગુણસ્થાને વિકલ્પ ચાલતા હોય છે ત્યાં પહેલા ગુણસ્થાનની શી વાત છે ? ૮. પ્રશ્ન:- અમે તો વ્યવહારનય તથા નિશ્વયનયના માધ્યમથી પરમશુદ્ધ નિશ્ચયનયના વિષયભૂત ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં એકાગ્રતાનો પ્રયત્ન કરી રહ્યા હતાં, ત્યાં તમે આ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ— ભાવવાળી નવી વાત લઈ આવ્યાં ! એનાથી તો અમને વધારે વિકલ્પોની ઉત્પત્તિ થશે અને અમે આત્માનુભૂતિથી દૂર થઈ જઈશું. શું આ વાત જાણ્યા વિના સમ્યગ્દર્શન ન થઈ શકે ? ઉત્તર:- હું તો કહું છું કે દ્રષ્ટિનો વિષય બરાબર રીતે સમજ્યા
SR No.007140
Book TitleDrushtino Vishay
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla, Rajnibhai Gosaliya
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year2011
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy