SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ‘ ૬૮ - દ્રષ્ટિનો વિષય છે ને કે પરદેસીસે પ્રીત દુઃખ કા હી કારણ હોતી હૈ - કેમ કે પરદેશી તો ચાલ્યો જવાવાળો છે. આપ જાણતા જ હશો કે સૌથી વધુ દુઃખ નિગોદના જીવોને હોય છે, કારણ કે એક શ્વાસમાં અઢાર વખત તેમને મરણનું દુઃખ ભોગવવું પડે છે. તેવી જ રીતે એક સમયની પર્યાયમાં પોતાપણું સ્થાપનારને પણ સમયે સમયે મરણનું દુઃખ થાય છે. પ્રતિક્ષણે નાશ પામતી પર્યાયને આથી દ્રષ્ટિના વિષયમાં સામેલ કરવાની મનાઈ છે. - ભાઈસાહેબ ! આ કારણે ક્ષયોપશમ જ્ઞાનની પર્યાયને દ્રષ્ટિના વિષયમાં સામેલ કરવામાં આવતી નથી. ૩. પ્રશ્ન- પરમશુનિશ્ચયનયના વિષય અને દ્રષ્ટિના વિષયમાં શું ફરક છે ? - ઉત્તર- કાંઈ જ ફરક નથી. શ્રદ્ધા અપેક્ષાએ જેને દ્રષ્ટિનો વિષય કહે છે, તેને જ્ઞાનની અપેક્ષાએ પરમશુદ્ધ નિશ્ચયનયનો વિષય કહે છે અને ચારિત્રની અપેક્ષાએ તેને ધ્યાનનું ધ્યેય કહે છે. આ રીતે આ ત્રણ જુદા જુદા નામો ત્રણ જુદા જુદા ગુણની અપેક્ષાથી જેવાને કારણે પડ્યા છે, પરંતુ વસ્તુ તો તેની તે જ છે. ૪. પ્રશ્ન- સમ્યગ્દર્શન અને આત્માનુભૂતિમાં શું ફરક છે ? ઉત્તર:- સમ્યગ્દર્શન તે શ્રદ્ધાગુણની પર્યાયનું નામ છે. અનુભૂતિ તે આત્મસન્મુખ થયેલા અનંત ગુણોની મિશ્રપર્યાયનું નામ છે. સમ્યગ્દર્શનની ઉત્પત્તિ અનુભૂતિના કાળમાં થાય છે. વિના અનુભૂતિ સમ્યગ્દર્શનની ઉત્પત્તિ થતી નથી. તેથી આપણને ભ્રમ થાય છે કે તે બન્ને એક જ ચીજ છે. બન્ને પ્રાપ્ત કરવાનો ઉપાય પણ એક જ હોવાથી આ ભ્રમ થાય છે.
SR No.007140
Book TitleDrushtino Vishay
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla, Rajnibhai Gosaliya
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year2011
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy