SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર છે, પરંતુ આ વાત માત્ર પુસ્તકોમાં લખાઈ જવાથી કાયમ નહીં રહે, આ વાત તો મગજમાં લખાઈ જવી જોઈએ; તેથી મારી પાસે મહાવિદ્યાલયના જે બસો વિદ્યાર્થીઓ પ્રવક્તા છે, તેમના મગજમાં આ વાત રહેવાથી અન્ય લોકો સુધી પણ પહોંચશે. પ્રવક્તાઓના મગજમાં આ વાતને લખવાથી તે અધિક કાળ સુધી ટકી રહે એવી સંભાવના છે. ૬૩ • ઉક્ત સંપૂર્ણ વિવેચનથી આ વાત સ્પષ્ટ રીતે સામે આવે છે કે દ્રષ્ટિના વિષયભૂત ભગવાન આત્મામાં પર્યાયાર્થિકનયની વિષયભૂત બધી પર્યાયોમાંથી કોઈ પણ પર્યાય સામેલ નથી. ધ્યાન રહે, પર્યાયાર્થિકનયના વિષયમાં ગુણભેદ, પ્રદેશભેદ અને કાળભેદ–બધા આવી જાય છે અને પર્યાયોની અનુસ્મૃતિથી રચિત પ્રવાહ આવતો નથી. આ સર્વે પર્યાયોથી પાર ભગવાન આત્માના આશ્રયથી સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ નિર્મળ પર્યાયોની ઉત્પત્તિ થાય છે, મોક્ષમાર્ગનો પ્રારંભ થાય છે, મોક્ષ થાય છે. પર્યાયોથી પાર આ જ ભગવાન આત્મામાં પોતાપણું સ્થાપિત થવાનું નામ સમ્યગ્દર્શન, તેને જ પોતાપણે જાણવાનું નામ સભ્યજ્ઞાન અને એમાં જ જામી જવાનું રમણ કરવાનું નામ સમ્યક્ચારિત્ર છે, બાકી બધો ઉપચાર છે. સૌ ભવ્યાત્મા દ્રષ્ટિના વિષયભૂત ભગવાન આત્માને જાણીને, સમજીને; તેમાં જ રમણ કરીને – લીન થઈને પર્યાયમાં પરમાત્મપદ પ્રાપ્ત કરીને સુખી થાઓ – એ ભાવના સાથે વિરામ લઉં છું. -
SR No.007140
Book TitleDrushtino Vishay
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla, Rajnibhai Gosaliya
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year2011
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy