SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ Fr કર્યો છે. દ્રષ્ટિનો વિષય આ પ્રમાણે આચાર્ય અમૃતચંદ્રે વિસ્તારક્રમથી પ્રવાક્રમને સિદ્ધ જો આ પુસ્તકમાંથી પાછળનાં પાનાને આગળ લાવવું હો તો ફાડીને લાવવું પડશે. પાનું ફાડવાથી આ પુસ્તક અખંડ નહીં રહે. જો દ્રવ્યના એક પ્રદેશને બીજી જગ્યાએ હટાવવું હોય, તો દ્રવ્યના ટુકડા કરવા પડશે. ટુકડા કરવાથી વસ્તુ અખંડ નહીં રહે; જ્યારે વસ્તુ તેને કહે છે કે જે અખંડ હોય અર્થાત જેના ખંડ ન થઈ શકે. આથી પ્રદેશોને એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલાવી શકાતા નથી. જેવી રીતે વિસ્તારક્રમમાં એ નિયમ છે કે એક પ્રદેશને બીજી જગ્યાએ બદલાવી શકાતો નથી, તેવી જ રીતે પ્રવાહક્રમમાં પણ એ નિયમ છે કે એક પર્યાયને બીજી જગ્યાએ બદલાવી શકાતી નથી. જેમકે-કોઈની સિદ્ધપર્યાય એક લાખ વર્ષ પછી થવાની હોય અને તેને તે અત્યારે લાવવા માંગતો હોય, તો જે સ્વકાળમાંથી સિદ્ધપર્યાયને તે કાઢશે, ત્યાં એક કટ લાગી જશે. જો એક પર્યાયને સમયની પહેલાં કોઈ સ્થાનાંતરિત કરવા માંગશે તો આત્માની અનાદિ-અનંતતા ખંડિત થઈ જશે; જ્યારે વસ્તુ તેને કહીએ છીએ, જે અખંડ રહે છે. એથી પર્યાયને કદાપિ બદલાવી શકાતી નથી. એક લાખ વર્ષ પછી આવવાવાળી સિદ્ધપર્યાય જો તે અત્યારે લાવવા માંગશે તો સિદ્ધપર્યાય આવ્યા પછી સંસારપર્યાય કદી આવતી નથી; એથી અત્યારથી લઈને એક લાખ વર્ષ સુધીની સંસારપર્યાયોનું શું થશે ? સિદ્ધપર્યાય લાવવા માટે તેમને ખતમ કરવી પડશે. જો તેમને ખતમ કરી, તો તેટલું દ્રવ્ય ખંડિત થઈ જશે. જેમ નવ મીટર ધોતીયામાંથી જો વચમાંથી એક મીટર કાઢી નાખવામાં આવે તો તે આઠ મીટરનું રહી જશે અને વચ્ચે એક સાંધ લાગી જશે; તેવી જ રીતે જો આત્મામાંથી એટલા સમયની સંસારપર્યાયો કાઢી નાખવામાં આવે, તો આત્મા કાળથી ખંડિત
SR No.007140
Book TitleDrushtino Vishay
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla, Rajnibhai Gosaliya
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year2011
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy