SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૯ વિસ્તારક્રમ અને પ્રવાહકમ • દ્રષ્ટિના વિષય સંબંધમાં સમયસાર અનુશીલનનું નીચે જણાવેલું કથન દ્રષ્ટવ્ય છે : પ્રવચનસારની ૯મી ગાથાની અમૃતચંદ્રાચાર્યકૃત તત્ત્વપ્રદીપિકા નામની ટીકામાં પ્રદેશોની અખંડતાને વસ્તુની સમગ્રતા અને પરિણામોની અખંડતાને વૃત્તિની સમગ્રતા કહી છે તથા બન્નેના વ્યતિરેકોને ક્રમશઃ પ્રદેશ અને પરિણામ કહીને પ્રદેશોના કમનું કારણ પ્રદેશોનો પરસ્પર વ્યતિરેક છે અને પ્રવાહમનું કારણ પરિણામો પર્યાયો)નો પરસ્પર વ્યતિરેક છે – એમ કહ્યું છે. આ તથ્યના ઊંડાણમાં જતાં એક વાત સ્પષ્ટ થાય છે કે જો વિસ્તારક્રમનું કારણ પ્રદેશોનો વ્યતિરેક છે અને પ્રવાહક્રમનું કારણ પરિણામોનો વ્યતિરેક છે, તો પ્રદેશો અને પરિણામોનો અન્વય અર્થાત્ પ્રવચનસાર (ગુજરાતી) માંથી સાભાર : ૧ વૃત્તિ – વર્તવું તે, હોવું તે, હોવાપણું, હયાતિ (પાનું ૧૮૭) ૨ વ્યતિરેક – ભેદ (એકનો બીજામાં અભાવ); એક પરિણામ બીજા પરિણામરૂપ નથી તેથી દ્રવ્યના પ્રવાહમાં કમ છે. (પાનું ૧૮૭) ; ભેદ, એકનું બીજરૂપ નહીં હોવું તે, “આ તે નથી' એવા જ્ઞાનના નિમિત્તભૂત ભિન્નપણું (પાનું 10) ૩ અન્વય – એકરૂપતા; સદશ્યતા; આ તે જ છે એવા જ્ઞાનના કારણભૂત એકપણું. (પાનું ૧૯૧)
SR No.007140
Book TitleDrushtino Vishay
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla, Rajnibhai Gosaliya
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year2011
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy