SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ - દ્રષ્ટિનો વિષય ક્ષેત્ર-કાળ-ભાવ વિના થઈ શકતું નથી, તો પછી વસ્તુ પણ કાળ વિના સમગ્ર વસ્તુ કહી શકાતી નથી. જો પર્યાયના નામે કાળને વસ્તુમાંથી કાઢી નાખવામાં આવે તો તે સંપૂર્ણ વસ્તુ નહીં કહેવાય. વિશેષ, અનેક, ભેદ તેમજ અનિત્યતા - આ બધા પર્યાયાર્થિકનયના વિષય હોવાથી પર્યાય છે. તેઓ પર્યાય હોવાનું એક માત્ર કારણ એ છે કે તેઓ પર્યાયાર્થિકનયના વિષય છે. સામાન્ય, એક, અભેદ તેમજ નિત્યતા આ બધા દ્રવ્યાર્થિકનયના વિષય હોવાથી દ્રવ્ય છે. આ ચારેયનો અભેદ એક દ્રવ્ય જ દ્રવ્યદ્રષ્ટિનો વિષય છે અને તેના જ આશ્રયે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ થાય છે. દ્રષ્ટિના વિષયભૂત આ દ્રવ્યમાં સામાન્યના રૂપમાં દ્રવ્ય, એકના રૂપમાં અનંતગુણોનો અખંડપિંડ, અભેદના રૂપમાં અસંખ્યપ્રદેશોનો અખંડપિંડ અને નિત્યના રૂપમાં અનંતાનંત પર્યાયોનો સામાન્યાંશ-આ બધાને સામેલ કરવામાં આવ્યાં છે. અનંતાનંત પર્યાયોના સામાન્યાંશને જ “વૃત્તિનો અનુસ્મૃતિથી રચિત પ્રવાહ કહેવામાં આવે છે. હું અહીં જાણી કરીને “પર્યાય શબ્દનો પ્રયોગ કરવા માંગતો નથી. જો હું આની જગ્યાએ એમ કહ્યું કે દ્રષ્ટિના વિષયમાં પર્યાયોનો અનુસૂતિથી રચિત પ્રવાહ સામેલ છે, તો લોકોને લાગે છે કે મેં દ્રષ્ટિના વિષયમાં પર્યાયને સામેલ કરી દીધી છે ! અરે ભાઈ! પર્યાયોના પ્રવાહથી અલગ કોઈ અન્ય નિત્ય નથી. દ્રષ્ટિના વિષયમાં આ નિત્યનો નિષેધ નથી. અહીં નિષેધ તો પ્રદેશભેદ, ગુણભેદનો છે. બે ગુણોમાં લક્ષણભેદ હોવાથી તેના લક્ષ્યથી વિકલ્પની ઉત્પત્તિ થાય છે અને અમેદવસ્તુ ખ્યાલમાં આવતી નથી, તેથી દ્રષ્ટિના વિષયમાં ગુણભેદનો નિષેધ કર્યો છે. આ જ સંદર્ભમાં સાતમી ગાથાના પંડિત જયચંદજી દ્વારા લિખિત
SR No.007140
Book TitleDrushtino Vishay
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla, Rajnibhai Gosaliya
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year2011
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy