SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વચતુષ્ટય - 'જ્યારે દ્રષ્ટિના વિષયમાં પર્યાયનો નિષેધ કરવામાં આવે છે. ત્યારે આપણે કાળ નામના અંશનો નિષેધ સમજી લઈએ છીએ; પરંતુ વસ્તુના જે ચાર અંશ - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ છે; તેમાં જે કાળાશ છે, તે તો દ્રષ્ટિના વિષયમાં સામેલ છે. સૌથી મોટો ખતરો તો એ જ છે કે ‘કાળ અંશને પર્યાય સમજીને તેનો નિષેધ કરી દેવામાં આવે છે. આચાર્ય સમન્તભ પણ એ જ કહ્યું છે કે કોળ વિના અખંડ વસ્તુ સ્વીકારી જ શકાતી નથી. કાળ વિના તો વસ્તુ ગધેડાના શીંગડા સમાન છે. આચાર્ય સમન્તભ “આપ્ય-મીમાંસા' માં લખ્યું છે - सदेव सर्व को नेच्छेत्स्वरूपादिचतुष्टयात् । સવ વિપસા, વતિષ્ઠરે છે આ દુનિયામાં એવો કોણ મૂર્ખ છે, જે વસ્તુને સ્વરૂપ ચતુષ્ટયની અપેક્ષાએ સરૂપે સ્વીકાર નહીં કરે અને એવો કોણ છે, જે વસ્તુને પરચતુષ્ટયની અપેક્ષાએ નાસ્તિરૂપ સ્વીકાર નહીં કરે ? જો કોઈ એવો હશે તો પણ તે પોતાની વાતને સિદ્ધ કરી શકશે નહીં. અર્થાત્ જે તેણે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આ ચાર ચીજો સ્વીકારી નહીં તો વસ્તુ-વ્યવસ્થા જ બનશે નહીં. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં પણ આચાર્ય અમૃતચંદ્રદેવે લખ્યું છે न द्रव्येण खंडयामि, न क्षेत्रेण खंडयामि, न कालेन खंडयामि, न भावेन વંડયામિ અર્થાતુ નતો હુંદ્રવ્યથી ખંડિત છું, ન ક્ષેત્રથી ખંડિત છું, નકાળથી ખંડિત છું, ન ભાવથી ખંડિત છું, હું તો એક અખંડતત્વ છું. ભારતને સન ૧૯૪૭માં આઝાદી મળી. જે અંગ્રેજો એમ કહેત કે ભારતને આઝાદી તો આપી દઈએ છીએ, પરંતુ દિલ્હી અમારા કબજામાં રહેશે, તો ભારત ક્ષેત્રથી ખંડિત થઈ ગયું એમ કહેવાત. અથવા જો અંગ્રેજો
SR No.007140
Book TitleDrushtino Vishay
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla, Rajnibhai Gosaliya
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year2011
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy