SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ - પ્રકરણ - ૨ – ૧૦૧ આ દ્રવ્યાર્થિકનયના પ્રકરણમાં જે સ્થિતિ પર્યાયની છે, પર્યાયાર્થિકનયના પ્રકરણમાં તે જ સ્થિતિ દ્રવ્યની સમજી લેવી જોઈએ. આમ આ પ્રતિફલિત થાય છે કે પ્રમાણના વિષયમાં મુખ્યગૌણની વ્યવસ્થા નથી, કારણ કે તેનો વિષય સંપૂર્ણ વસ્તુ છે. તેથી તેના વિષયમાં વસ્તુના બન્નેય અંશો જ મુખ્ય રહે છે. નયોનો વિષય વસ્તુનો અંશ બને છે. તેથી જે વસ્તુનો જે અંશ જે નયનો વિષય બને છે, તે અંશ મુખ્ય હોય છે, શેષ અંશ ગૌણ રહે છે. મુખ્ય અંશને વિવક્ષિત અંશ અને ગૌણ અંશને અવિવક્ષિત અંશ પણ કહે છે. અતઃ આ સ્પષ્ટ છે કે વસ્તુના દ્રવ્યાંશને જાણનાર/બતાવનાર દ્રવ્યાર્થિકનય છે અને પર્યાયાંશને જાણનાર/ બતાવનાર પર્યાયાર્થિકનાય છે. ‘તત્વાર્થસ્લોકવાર્તિક માં થોડી જુદી વાત પણ કરી છે. તેમાં દ્રવ્યાંશને “અંશી' અને પર્યાયાંશને “અંશ' શબ્દથી જણાવવામાં આવ્યો છે તથા સ્પષ્ટ રીતે લખ્યું છે કે જે અંશીમાં તે અંશીના બધા અંશ ગૌણ થઈ જાય છે, તે અંશી દ્રવ્યાર્થિકનયનો વિષય છે. ‘તત્વાર્થસ્લોકવાર્તિક નું મૂળકથન આમ છે : “તન્નાશિન્યપિ નિઃશેષધર્માણાં ગુણતાગતી દ્રવ્યાર્થિકનયસ્થવ વ્યાપારાભુખ્યરૂપતઃ - જે અંશી કે ધર્મમાં તેના સર્વે અંશ કે ધર્મ ગૌણ થઈ જાય છે, તે અંશીમાં મુખ્યરૂપથી દ્રવ્યાર્થિકનયની જ પ્રવૃત્તિ હોય છે અર્થાત્ આવો અંશી દ્રવ્યાર્થિકનયનો વિષય છે.” આ કથનથી એવો ભ્રમ થઈ શકે છે કે અંશી તો પ્રમાણનો વિષય
SR No.007140
Book TitleDrushtino Vishay
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla, Rajnibhai Gosaliya
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year2011
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy