SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિ-સાધના અજ્ઞાનનાં કારણેા ટાળવામાં હિંમત ન ચાલી શકતી હાય, મુઝવણુ આવી જતી હાય, તાપણુ ધીરજ રાખવી; સત્સંગ સત્પુરુષના યોગ વિશેષ વિશેષ કરી આરાધવા; તે અનુક્રમે અજ્ઞાનની નિવૃત્તિ થશે, કેમકે નિશ્ચય જે ઉપાય છે અને જીવને નિવૃત્ત થવાની બુદ્ધિ છે તે પછી તે અજ્ઞાન નિરાધાર થયું છતું શી રીતે રહી શકે ? એક માત્ર પૂર્વકર્મયોગ સિવાય ત્યાં કાઈ તેને આધાર નથી. તે તા જે જીવને સત્સંગ-સત્પુરુષને યોગ થયો છે, અને પૂર્વકર્મનિવૃત્તિ પ્રત્યે પ્રયાજન છે, તેને ક્રમે કરી ટળવા જ યાગ્ય છે, એમ વિચારી તે અજ્ઞાનથી થતું આકુળવ્યાકુળપણું તે મુમુક્ષુ જીવે ધીરજથી સહન કરવું એ પ્રમાણે પરમાર્થ કહીને પરિષદ્ધ કહ્યો છે. અત્ર અમે સંક્ષેપમાં તે એય પરિષદ્ધનું સ્વરૂપ લખ્યું છે. આ પરિષદ્ધનું સ્વરૂપ જાણી સત્સંગ સત્પુરુષના યોગે જે અજ્ઞાનથી મુઝવણ થાય છે તે નિવૃત્ત થશે એવા નિશ્ચય રાખી યથાઉદય જાણી ધીરજ રાખવાનું ભગવાન તીર્થંકરે કહ્યું છે, પણ તે ધીરજ એવા અર્થમાં કહી નથી કે સત્સંગ-સત્પુરુષના યેાગે પ્રમાદ હેતુએ વિલંબ કરવા તે ધીરજ છે, અને ઉડ્ડય છે. તે વાત પણ વિચારવાન જીવે સ્મૃતિમાં રાખવા યાગ્ય છે. ૪૬ શ્રી તીર્થંકરાદિએ ફ્રી ફ્રી જીવાને ઉપદેશ કહ્યો છે, પણ જીવ દિશામૂઢ રહેવા ઇચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. ફ્રી ફ્રી ઠોકી ઠોકીને કહ્યું છે કે એક આ જીવ સમજે તા સહજ મેાક્ષ છે, નહીં તેા અનંત ઉપાયે પણ નથી. અને તે સમજવું પણ કંઈ વિકટ નથી. કેમકે જીવનું સહેજ સ્વરૂપ છે, તે જ માત્ર સમજવું છે; અને તે કંઈ ખીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે
SR No.007127
Book TitleSamadhi Sadhna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1991
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy