SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિ-સાધના ૪૩ શાંતરસપ્રતિપાદક વીતરાગવચની અનુપ્રેક્ષા વારંવાર કર્તવ્ય છે ચિત્તર્ય માટે તે પરમ ઔષધ છે. (૮૧૭) ૧૬. દુલભયોગ આત્મદશાને પામી નિર્દઢપણે યથાપ્રારબ્ધ વિચરે છે, એવા મહાત્માઓને વેગ જીવને દુર્લભ છે. તે પેગ બન્ય જીવને તે પુરુષની ઓળખાણ પડતી નથી, અને તથારૂપ ઓળખાણ પડ્યા વિના તે મહાત્મા પ્રત્યે દૃઢાશ્રય થતું નથી. જ્યાં સુધી આશ્રય દૃઢ ન થાય ત્યાં સુધી ઉપદેશ પરિણામ પામતે નથી ઉપદેશ પરિણમ્યા વિના સમ્યગ્દર્શનને યોગ બનતું નથી. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિના જન્માદિ દુઃખની આત્યંતિક નિવૃત્તિ બનવા યંગ્ય નથી. તેવા મહાત્મા પુરુષોને ગ તે દુર્લભ છે, તેમાં સંશય નથી. પણ આત્માર્થી જીવોને પેગ બનો પણ કઠણ છે, તે પણ ક્વચિત તે ગ વર્તમાનમાં બનવા ગ્ય છે. સત્સમાગમ અને સન્શાસ્ત્રને પરિચય કર્તવ્ય છે. આ (૧૦) ૧૭ જ્ઞાનીની દષ્ટિ જે અનિત્ય છે, જે અસાર છે અને જે અશરણરૂપ છે તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત રાત્રિદિવસ વિચારવા ગ્ય છે. લેકવૃષ્ટિ અને જ્ઞાનીની દૃષ્ટિને પશ્ચિમ પૂર્વ એટલે તફાવત છે. જ્ઞાનીની દ્રષ્ટિ પ્રથમ નિરાલંબન છે. રુચિ ઉત્પન્ન કરતી નથી, જીવની પ્રકૃતિને મળતી આવતી નથી, તેથી જીવ તે વૃષ્ટિમાં રુચિવાન થતું નથી, પણ જે જીવોએ પરિષહ વેઠીને ચેડા કાળ સુધી તે દૃષ્ટિનું આરાધન કર્યું છે, તે સર્વ દુઃખના ક્ષયરૂપ નિર્વાણને પામ્યા છે, તેના ઉપાયને પામ્યા છે.
SR No.007127
Book TitleSamadhi Sadhna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1991
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy