SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિ-સાધના અન્ય ગતિ પ્રત્યે ગમન કરવામાં મારા સ્વરૂપને તે કેઈ પણ રીતે નાશ કે હાનિ સંભવતી જ નથી. તે હવે નિશ્ચય કરી દૃઢ કરું કે મરણને ભય શા માટે હોય ? અર્થાત મરણને કિંચિત્ ભય કર્તવ્ય નથી જ નથી. કહ્યું છે કે વર્ષે નિધનું શ્રેયઃ વરઘ મથાવડા એ પ્રમાણે હું જે સ્વધર્મ એટલે મારે જ્ઞાતા દ્રષ્ટારૂપ જ્ઞાયક સ્વભાવ મૂકીને પણ ધર્મ જે દેહના ગાદિ ઘર્મો તેમાં મમતાપૂર્વક મરણ કરું તે અવશ્ય અનંત ભયરૂપ સંસાર પરિભ્રમણ પ્રાપ્ત થાય. અને દેહભાવરૂપ પરમેં તજી, આત્મભાવરૂપ સ્વધર્મમાં સ્થિર રહી દેહત્યાગ કરું તે અવશ્ય શ્રેય એટલે સમાધિસુખથી પ્રપૂર્ણ સિદ્ધિપદને પામી કૃતાર્થ થાઉં. संसारासक्तचित्तानां मृत्युभीत्यै भवेन्नृणाम् । मोदायते पुनः सोऽपि ज्ञानवैराग्यवासिनाम् ॥१०॥ જે જીવેનું ચિત્ત સંસારમાં આસક્ત છે અને જે પિતાના વાસ્તવિક શુદ્ધ સહજ આત્મતત્વને જાણતા નથી તેને મૃત્યુ ભય ઊપજાવી શકે, પરંતુ જેઓ પોતાના ચિદાનંદમંદિર એવા સહજ સ્વરૂપના ભાન સહિત છે તે તે સંસારથી વૈરાગ્યયુક્ત, અનાસક્ત, ઉદાસીન હોવાથી મૃત્યુ તેમને આનંદ માટે થાય છે. અર્થાત્ મહોત્સવ સ્વરૂપ થાય છે. સંસારના સર્વ પદાર્થ સ્વપ્નવત , નાશવંત, અસાર તથા અશરણરૂપ અને ક્લેશનાં કારણરૂપ સમજાયા હોવાથી જ્ઞાનવાન આત્માનું ચિત્ત તેમાંથી વિરક્ત, અનાસક્ત, ઉદાસીન વર્તે છે. અને અનંત સુખધામ શાશ્વત એવું પિતાનું સહજાત્મસ્વરૂપ એ જ એક પરમ સારરૂપ, શરણરૂપ, સંપૂર્ણ માહા
SR No.007127
Book TitleSamadhi Sadhna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1991
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy