SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ સમાધિ-સાધના સ્વાત્મજ્ઞાનથી પ્રગટે સંવર તેમ નિર્જરા પ્રબળ અહા ! ભેદજ્ઞાનથી આત્મજ્ઞાન તે ત્યાં જ મુમુક્ષુની સતત સ્પૃહા. ૧૩-૧૪ | સર્વ શાસ્ત્રોના જાણ (જેને હવે કોઈ પણ શાસ્ત્ર જાણવાનું પ્રજન ન રહ્યું છે એવા એ ભેદજ્ઞાની પુરુષે શુદ્ધ ચિકૂપની પૂર્ણ પ્રાપ્તિ માટે અખંડિત ધારાએ નિરંતરપણે તે ભેદજ્ઞાનની ભાવના ભાવવી. આત્મજ્ઞાનથી સાક્ષાત સંવર (નવીન કર્મ આવતાં અટકે તે) અને નિર્જરા ( ઉદયમાં આવતાં પૂર્વ કર્મને જાગૃતિ પ્રમાણે અંશે ક્ષય) થાય છે. સંવર નિર્જરાના ફળરૂપે પરિણામે સર્વ કર્મના ક્ષયરૂપ મોક્ષ થાય છે. મેક્ષને અનન્ય કારણરૂપ ભેદજ્ઞાનથી જ તે આત્મજ્ઞાન થાય છે માટે મેક્ષાથી જએ તે ભેદજ્ઞાનને અંતરમાં સદા ભાવવું. ૧૩–૧૪ (મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજાં કામ કરત-એ દેશી ) વસ્તુપરીક્ષા રે શિલ્પકલાદિમાં નિપુણ થયે બહુ વાર, શક્તિ વિભૂતિ રે બહુ લહી, માત્ર ને, ભેદજ્ઞપ્તિ કેઈ વાર. ભેદવિજ્ઞાને રે ચિપ સેવીએ. ૧૫ આ સંસારમાં અનેકવાર પદાર્થોની પરીક્ષા કરતાં જીવ શીખે છે; શિલ્પ આદિ અનેક કલાઓમાં નિપુણ થયે છે, બહુ પ્રકારની શક્તિઓ અને વિભૂતિઓ પણ પામે છે, પરંતુ એકમાત્ર ભેદજ્ઞાનને તેને કદી લાભ થયે નથી. ૧૫ આત્મ શરીરને રે ભેદવિજ્ઞાનરૂપ, વાયુબળે ક્યાંય જાય, મેહરેય ચિદ્રપ ઢાંકતે તે તે જરી ના જણાય. | ભેદવિજ્ઞાને રે. ૧૬ જ્યાં સુધી આત્મા અને શરીરને જુદા જાણવારૂપ ભેદજ્ઞાન થતું નથી ત્યાં સુધી જ મેહનીય કર્મની વર્ગણાઓ
SR No.007127
Book TitleSamadhi Sadhna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1991
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy