SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ સમાધિ-સાધના મનુષ્ય જેમ ઘટ પટ આદિ ય અને દૃશ્ય પરપદાર્થોમાં પિતાનું ચિત્ત જેડી તેનું સ્મરણ ધ્યાન કરે છે, તેવી રીતે જે તે શુદ્ધ ચિદ્રપની પ્રાપ્તિ માટે પિતાના તે જ્ઞાતા દ્રષ્ટા એવા શુદ્ધસ્વરૂપમાં ચિત્ત લગાવે છે તે કેવલજ્ઞાન અને કેવલદર્શનરૂપ સર્વોત્કૃષ્ટ આત્મદર્શન અને આત્મજ્ઞાન શીધ્ર પામે. (હરિગીત છંદ) ચિદ્રપ કેવલ શુદ્ધ હું, આનંદધામ સદા સ્મરું; પ્લેકાર્ધથી સર્વજ્ઞ ભાષિત બોઘ મેક્ષાર્થે ઘણું. ૨૨ શુદ્ધ ચિપની પ્રાપ્તિરૂપ મેક્ષપદના અભિલાષી જનેએ નિરંતર વિચારવું કે જે પદાર્થ શુદ્ધ ચિદ્રપની પ્રાપ્તિમાં કારણ છે તે મને પ્રિય છે, કારણ કે હું શુદ્ધ ચિદ્રપની પ્રાપ્તિને અભિલાષી છું. તેથી જે સ્વરૂપપ્રાપ્તિમાં કારણ નથી તેમાં મારે પ્રેમ પણ કર્તવ્ય નથી. ૨૧ સહજત્મસ્વરૂપ પરમગુરુ,” હું ચિદ્રપ અન્ય દ્રવ્યોને સંગથી રહિત, અદ્વિતીય કેવલ અસંગ છું, કર્મમલ રહિત શુદ્ધ છું અને આનંદસ્વરૂપ છું. એમ હું નિજસ્વરૂપનું સ્મરણ કરું છું. આ શ્લેક વડે કહેવાયેલ સર્વજ્ઞ ભગવાનને ઉપદેશ મુક્તિને માટે થાય છે. અર્થાત્ આ ઉપદેશ આત્મામાં પરિણમે તે મુક્તિ અવશ્ય પ્રાપ્ત થાય છે. અર્ધા શ્લેકમાં ભગવાને મુક્તિનો માર્ગ કહ્યો છે. ૨૨ જ્યમ અંધ આગળ નૃત્ય કે ગીત બધિર આગળ વ્યર્થ છે, ત્યમ શુદ્ધચિપનું કથન બહિરાત્મ આગળ વ્યર્થ છે, ભૂખ્યા કને જ્યમ અન્ના કે તરસ્યા કને જળ હિત કરે, ત્યમ અંતરાત્મા સમીપ ચિદ્ર૫-કથન હિતકર છે ખરે. ૨૩-૨૪
SR No.007127
Book TitleSamadhi Sadhna
Original Sutra AuthorN/A
AuthorRavjibhai C Desai
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1991
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy