SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મધ્યાન આત્મબુદ્ધિવડે શરીરાદિકના નાશમાં પિતાને નાશ જાણી, ઘણું વિપરીત કિયામાં પ્રવર્તન થયું. દેરડીમાં સાપને ભય નાશ પામવાથી એટલે દોરડીને દોરડીરૂપે જાણવાથી. ભ્રમરૂપ ક્રિયાને અભાવ થાય છે, તેવી રીતે દેહમાં આત્મબુદ્ધિરૂપ ભ્રમ નાશ પામવાથી આચરણમાં પણ ભ્રમને. અભાવ થાય છે. જેના અજ્ઞાનથી હું ઊંઘતે હતું અને જેનું જ્ઞાન થતાં જાગ્રત થયે તે ચૈતન્ય હું છું. આ જ્ઞાનતિમય મારું સ્વરૂપ તેને દેખવાથી મારા રાગદ્વેષ નાશ પામ્યા છે તેથી નથી કેઈ મારે શત્રુ કે નથી કેઈ મિત્ર. શત્રુ મિત્ર તે જ્ઞાનમાં રાગદ્વેષરૂપ વિકારથી મનાય છે. જે મારા જ્ઞાયક આત્મસ્વરૂપને જાણતા ય નથી તે મારા શત્રુ કે મિત્ર કેવી રીતે થાય? જેણે સાક્ષાત્ મારું સ્વરૂપ દેખ્યું છે તે પણ મારા શત્રુ કે મિત્ર થતા નથી. મારા સ્વરૂપને જ્ઞાતા જે હું તેને પૂર્વે કરેલાં બધાં આચરણ સ્વમ સમાન કે ઇંદ્રજાલ જેવાં જણાય છે. અહે! જ્ઞાનીપુરુષનાં અલૌકિક વૃત્તાંતનું કેણ વર્ણન કરી શકે ? જ્યાં અજ્ઞાની પ્રવૃત્તિ કરીને કર્મ બાંધે છે ત્યાં જ જ્ઞાની પ્રવૃત્તિ કરી બાંધેલાં કર્મ છોડે. છે અને નવાં કર્મ બાંધતા નથી. જગતના પદાર્થો તે બધા જેમ છે તેમજ છે. અન્ય પ્રકારે નથી. પરંતુ અજ્ઞાની ભ્રાંતિ કે વિપરીત સંકલપ વડે રાગી, દ્વેષી, મેહી બનીને ઘેર કર્મના બંધ બાંધે છે. જ્ઞાની પદાર્થનું સત્ય સ્વરૂપ જાણ પરમસમતાવાળા વીતરાગ ભાવે પ્રવર્તતા નિર્જરા કરે છે. દુઃખથી ભરેલા સંસારવનમાં પૂર્વે
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy