SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નત્રયનિરૂપણ ગુરુ કેવી રીતે હોઈ શકે? પરિગ્રહી તે પોતે જ સંસારમાં ફસાઈ રહ્યો છે તે અન્યને ઉદ્ધાર કરનાર ગુરુ કેવી રીતે બને ? ૧ મિથ્યાત્વ, ર વેદ = સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ, ૩ રાગ, ૪ વેષ, ૫ હાસ્ય, ૬ રતિ, ૭ અરતિ, ૮ શેક, ૯ ભય, ૧૦ જુગુપ્સા (ગ્લાનિ), ૧૧ ક્રોધ, ૧૨ માન, ૧૩ માયા, ૧૪ લેભઃ એ ચૌદ પ્રકારના અંતરંગ પરિગ્રહને સંક્ષેપાર્થ– થયેલાં છે. કામ કરી ૧. જે મનુષ્યાદિ પર્યાય, શરીર, શરીરનાં નામ, શરીરનાં રૂપ, તથા શરીરને આધારે જાતિ, કુલ, પદવી, રાજ્ય, ધન, કુટુંબ, યશ–અપયશ, ઊંચાપણું–નીચાપણું, ધનવાનપણું–નિર્ધનપણું, માન્યતા–અમાન્યતા, બ્રાહ્મણક્ષત્રિય–વૈશ્ય-શૂદ્રાદિક વર્ણ, સ્વામી-સેવક, યતિ–ગૃહસ્થપણું ઈત્યાદિ બહુ પ્રકાર છે તે પુગલરૂપ જે કર્મો તેનાથી ઉત્પન્ન થયેલાં પ્રત્યક્ષ દેખાય છે, સંભળાય છે, અનુભવમાં આવે છે. આ વિનાશી છે, પુદ્ગલમય છે, મારું સ્વરૂપ નથી, આમ સારી રીતે વારંવાર નિર્ણય કરી રાખ્યું છે, તે પણ અનાદિ કાલથી મિથ્યાત્વકર્મના ઉદયથી એવા સંસ્કાર દ્રઢ થઈ રહ્યા છે કે એને (ઉપર જણાવેલ શરીરાદિ પ્રકારના) નાશથી પિતાને નાશ માને છે; એને ઘટવાથી પિતાનું ઘટવું અને એના વધવાથી પિતાનું વધવું, ઊંચાપણું નીચાપણું માની સંપૂર્ણ દેહાદિકમય થઈ રહ્યો છે. જોકે પિતાની વાણુથી આ બધાને પરરૂપ કહે છે, આ અમારાં નથી, પરાધીન છે, વિનાશી છે. તથાપિ અંતરમાં એના સંગ વિયેગમાં, રાગદ્વેષ, સુખદુઃખરૂપ આત્માના ભાવ થાય છે તે મિથ્યાત્વ નામને પરિગ્રહ છે. સરકાર છે જેનાથી
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy