SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ શીશવશ્વનતિચારભાવના ૧૭૭ જાય છે તેથી તેનું નામ અબલા છે. સંસાર વધવાનું કારણ હેવાથી તેનું નામ વધૂ છે. કુટિલતા-માયાચારને સ્વભાવ ધારણ કરે છે તેથી તેનું નામ વામાં છે. તેની આંખમાં કુટિલતા વસે છે તેથી તેનું નામ વામચના છે. શીલવંતને ઇંદ્ર નમસ્કાર કરે છે. શીલવાન પુરુષ રત્નત્રયરૂપ ધન લઈને કામાદિ લૂંટારાઓને ભય ટાળી નિર્ભયપણે નિર્વાણ (મેક્ષ) નગર પ્રત્યે જાય છે. શીલ વડે સુશોભિત હોય તે ભલે કદરૂપ હય, મલિન હેય, રેગાદિવાળ હોય તે પણ પિતાના સંસર્ગથી સમસ્ત સભાને સુખી કરે છે, આશ્ચર્ય પમાડે છે. શીલ રહિત વ્યભિચારી હોય તે રૂપાળો કામદેવ જે ભલે હોય તેપણું લેકે તેના પ્રત્યે યૂયૂ કરે છે કારણ કે તેનું નામ જ કુશીલ છે.' ' શીલ નામ સ્વભાવનું છે. કામી મનુષ્યનું શીલ છે આત્માને સ્વભાવે તે ખેટો થઈ જાય છે, તેથી તેને કુશીલ કહેવાય છે. વળી કામી મનુષ્ય ધર્મથી એટલે આત્માના સ્વભાવથી અને વ્યવહારની શુદ્ધિથી ભ્રષ્ટ થાય છે, ચળી જાય છે તેથી તેને વ્યભિચારી કહેવાય છે. કામ જેવું જગતમાં બીજું કુકર્મ નથી તેથી તેને કુકર્મ કહે છે. મનુષ્ય પશુ જેવો બની જાય છે તેથી તેને પશુકર્મ કહેવાય છે. બ્રહ્મ એટલે આત્મા તેને જ્ઞાનદર્શન આદિ સ્વભાવ છે તેની ઘાત એથી થાય છે તેથી તેને અબ્રહ્મ કહે છે. કુશલવાળાની સંગતિથી કુશીલ મળે છે. જે શીલની રક્ષા કરી તે જ ક્ષમા, તપ, વ્રત, સંયમ આદિ બધું પળ્યું. ૧૨
SR No.007124
Book TitleSamadhi Sopan
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1983
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy